બનાસકાંઠા જિલ્લા સ્થિત અંબાજી નજીક ગબ્બર ખાતેનો રોપ વે આવતીકાલથી પાંચ દિવસ બંધ રહેશે. વાર્ષિક સમારકામ માટે ગબ્બરનો રોપ વે આવતીકાલ 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી લોકોની અવર જવર માટે સંપૂર્ણ બંધ રહેશે. જો કે ગબ્બર મંદિર ખાતે દર્શન કરવા માટે લોકો ડુંગર ઉપર પગથિયા ચડીને આવ જા કરી શકશે. લોકોની સુરક્ષા માટે રોપ વેને સમયાતંરે સમારકામ કરવુ આવશ્યક હોવાથી પાંચ દિવસ માટે રોપવે સેવા લોકો માટે બંધ કરાશે.