Ambaji Temple: શક્તિપીઠ અંબાજીએ દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને પણ હવે હેલિકોપ્ટર સેવાનો લાભ મળશે. સરકાર ટૂંક સયમમાં જ અંબાજીમાં હેલિપેડ બનાવવાનું આયોજન કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ માં અંબાજીના દર્શન કરવા આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું છે. અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી માટે ગઇકાલે કલેક્ટર સાથે બેઠક યોજાઇ છે. CM રૂપાણીએ કહ્યું કે, સરકાર ઝડપથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરશે.આ ઉપરાંત મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન બનાવવાનું પણ હાઇ પાવર કમિટીને સૂચન કરાયું હોવાનું CM રૂપાણીએ જણાવ્યું.