આદ્યશક્તિ માં અંબાની 51 શક્તિપીઠો પૈકીની મુખ્ય શક્તિપીઠ અને માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ હવે ભક્તો માટે ખૂલ્લું મુકાયું છે. દરેક શ્રદ્ધાળુઓને મંદિરમાં ફરજિયાત માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના સમયમાં દર્શન માટે નહીં આવવા પણ અપીલ કરી છે. નવરાત્રી દરમિયાન દર્શન માટેનો સમય સવારે 8 થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. જોકે વૃદ્ધો અને બાળકોને પ્રવેશ ન આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો