Ambaji માં ખોડીયાર જયંતિની ઉજવણી સાદગીપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. દર વર્ષે ખોડીયાર જયંતિની ભવ્ય રીતે ઉજવણી થતી હોય છે. જોકે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આ વર્ષે શોભાયાત્રા સહિત સમુહ ભોજનનું આયોજન પણ રદ કરી દેવામાં આવ્યું હતું. જોકે મા ખોડિયારને 111 પ્રકારના વ્યંજનો સાથે અન્નકુટનો ભોગ ધારણ કરાવવામાં આવ્યો હતો,, તો અનેક ભક્તોએ માતાના દર્શન કરી ધન્યતા પણ અનુભવી હતી.