ચિંતાજનક રીતે વઘતા કોરોનાના કેસને લઈને, દર્શકો વિના ક્રિકેટ મેચ રમાડવા અમદાવાદીઓની માગ

|

Mar 07, 2021 | 9:55 AM

રાજ્યમાં કોરોનાના ( corona ) કેસ પાછા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ સંજોગોમાં અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજાનાર, T20 ક્રિકેટ મેચમાં ( T20 cricket matches ) દર્શકોને પ્રવેશ આપવા સામે શહેરીજનોએ લાલબંતી ધરી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ, રાજ્યમાં કોરોનાના ( corona ) કેસ પાછા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ સંજોગોમાં અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજાનાર, T20 ક્રિકેટ મેચમાં ( T20 cricket matches ) દર્શકોને પ્રવેશ આપવા સામે શહેરીજનોએ લાલબંતી ધરી છે. અમદાવાદના નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચમાં ( T20 cricket matches ) જો દર્શકોને પ્રવેશ આપવામાં આવશે તો સોશિયલ ડિસ્ટન્સ નહી જળવાય. જેના પગલે કોરોનાનું સંક્રમણ વધી જવાની ભીતિ રહેલી છે. આ સંજોગોમાં BCCI  (The Board of Control for Cricket in India ) અને GCA ( gujarat cricket association) લોકહીતમાં ત્વરીત નિર્ણય લેવો જોઈએ. તો સાથોસાથ શહેરમાં જે રીતે કોરોનાના કેસ વધ્યા છે તેને ધ્યાને લઈને વહીવટીતંત્રે ટેસ્ટીગ વધારવા ઉપરાંત કોરોનાને નિયંત્રણમમાં લેવા માટે સફળ પૂરવાર થયેલ ધન્વંતરી રથ ફરી શરૂ કરવા જોઈએ.

 

Next Video