AHMEDABAD : જાણો કોરોના વેક્સિન ન લેનારાઓ અંગે DyCM નીતિન પટેલે શું નિવેદન આપ્યું

|

Aug 16, 2021 | 1:37 PM

વેપારીઓ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે, આમ છતાં હજી કેટલાક વેપારીઓ કોરોના વેક્સિન નથી લઇ રહ્યાં, આ લોકો સુપર સ્પ્રેડર બની શકે છે.

AHMEDABAD : અમદાવાદ ખાતે આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વેપારીઓ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે, આમ છતાં હજી કેટલાક વેપારીઓ કોરોના વેક્સિન નથી લઇ રહ્યાં, આ લોકો સુપર સ્પ્રેડર બની શકે છે.

આના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે સરકારના આટ આટલા પ્રયત્નો પછી પણ જો કોઈ વેક્સિન ન લે તો એમાં સરકાર કે સરકારના આરોગ્ય વિભાગનો કોઈ વાંક નથી. આ સાથે જ કોરોના વેક્સિન ન લેનારાઓ અંગે નિવેદન આપતા તેમણે કહ્યું કે જુદા જુદા બહાના હેઠળ કોરોના વેક્સિન નહીં લે એ નહી ચલાવી લેવામાં આવે.. બધાએ વેક્સિન લેવાની છે. વેક્સિન લઈને પોતે સલામત થાય અને બીજાને પણ સલામત કરે એ જ વેક્સિનનો હેતુ છે.

આ પણ વાંચો : AHMEADABAD : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

Next Video