Rath Yatra LIVE : અમિત શાહ પહોંચ્યા મંગળા આરતીમાં, નિહાળો નાથની મંગળા આરતી TV-9 પર

|

Jul 12, 2021 | 10:39 AM

Rath Yatra LIVE : ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં અમિત શાહ પહોચ્યા અને આરતી કરી હતી. તેમની સાતે મહંત દિલિપ દાસજી અને મંડળનાં સભ્યો પણ જોડાયા હતા.

Rath Yatra LIVE :અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144 Rathyatra) નિયમો સાથે નિકળશે. રાજ્ય સરકારે કોરોના(Corona) નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 60 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે. આ પહેલા તમામ તૈયારીઓ થઇ ગઈ છે. આ પહેલા મંદિર બહાર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

દર વર્ષની માફક આ વર્ષ પણ અમિત શાહજગન્નાથ મંદિરમાં આવી પહોંચ્યા છે. મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ ભાગ લીધો હતો. તેમની સાથે મહંત દિલિપ દાસજી અને મંડળનાં સભ્યો પણ જોડાયા હતા.

Published On - 4:28 am, Mon, 12 July 21

Next Video