કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજના માટે ક્રેડાઇ ગુજરાત તરફથી મહત્વની જાહેરાત કરાઈ

|

Jun 22, 2022 | 12:58 PM

ક્રેડાઈ ગુજરાત દ્વારા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા-વિચારણા બાદ ક્રેડાઈ ગુજરાત તરફથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજના માટે ક્રેડાઇ ગુજરાત તરફથી મહત્વની જાહેરાત કરાઈ
CREDAI

Follow us on

કેન્દ્ર સરકાર (Central Government)   દ્વારા સંરક્ષણ વિભાગ માટે લાવવામાં આવેલી અગ્નિવીર યોજના (Agnivir scheme) માટે અનેક સંસ્થાઓ અને આગેવાનો પણ હવે આગળ આવી રહ્યા છે ત્યારે ક્રેડાઈ ગુજરાત (CREDAI Gujarat)  કેન્દ્ર સરકારની યોજનાને આવકારવામાં આવી અને તેમના તરફથી અગ્નીવીરો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત મુજબ અગ્નિપથનું સર્ટીફીકેટ ધરાવનાર યુવાનોને ક્રેડાઈ ગુજરાત તરફથી દર વર્ષે 3000 લોકોને રોજગારી આપવામાં આવશે. ક્રેડાઈ ગુજરાત દ્વારા ભાજપ (BJP) પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) સાથે ચર્ચા-વિચારણા બાદ ક્રેડાઈ ગુજરાત તરફથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે આટલું જ નહીં પરંતુ લોકોને જે ગેરમાન્યતા છે કે અગ્નિવીર યોજનામાંથી નીકળેલા યુવાનોને માત્ર સિક્યુરિટી તરીકે નોકરી આપવામાં આવશે.

આ મામલે ક્રેડાઇ અમદાવાદના પ્રમુખ તેજસ જોશીએ TV9 સાથે વાત કરતા જણાવ્યું કે આ યોજનામાંથી આવેલા યુવાનોને તેમના રસના વિષયનો અભ્યાસ કરવામાં આવશે અને જે વિષયમાં તેઓ રસ ધરાવે છે તે મુજબ તેમને રોજગારી આપવામાં આવશે એટલે કે જો કોઈ યુવાન માર્કેટિંગ અથવા તો ડિઝાઇનિંગ અથવા અને કોઈ અન્ય કામમાં રુચિ ધરાવે છે તો સૌપ્રથમ તેને કોર્ષ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેની યોગ્યતા મુજબ તેને રોજગાર પણ આપવામાં આવશે.

ક્રેડાઈ તરફથી એ પણ જણાવવામાં આવ્યું કે અગ્નીવીર યોજનામાં ગુજરાતએ કેન્દ્ર સાથે ખભેથી ખભા મિલાવીને ચાલવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ ડિગ્રી ધરાવતા 3000 જેટલા ઉમેદવારોને દર વર્ષે રોજગાર આપવામાં આવશે. જેમાં ગુજરાતભરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોજગારી આપવાની બાહેંધરી ભારત સરકાર અને ગુજરાત સરકારને આપવામાં આવી છે.આટલુ જ નહી ક્રેડાઈએ ભારતમાં સમાવિષ્ટ 26 રાજ્યોમાં પણ આ યોજના લાગુ કરશે જેના કારણે ભારતભરનું રિયલ એસ્ટેટ સેક્ટર વાર્ષિક 30,000 અગ્નિવીરોને રિયર એસ્ટેટ સેક્ટરમાં કાયમી ધોરણે રોજગારી આપે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સાથે ક્રેડાઈ ગુજરાત દર વર્ષે 50,000 યુવાનોને પણ શારિરીક અને સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ચાર વર્ષની ટ્રેનિંગમાં ભારત સરકાર આ યુવાનોને એક ખુબ જ સારૂ આર્થિક વળતર અને પેકેજ પણ આપશે, ત્યારબાદ યોગ્ય સ્કીલ ધરાવતા યુવાનોને પણ તેમની સ્કીલને આધારે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરવાની તક મળશે.

Next Article