Ahmedabad : ભદ્રકાળીના મંદિરેથી કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ રેલીનો પ્રારંભ

|

Aug 16, 2021 | 10:51 AM

શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરેથી કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ રેલીનો પ્રારંભ થયો. ભાજપના આગેવાનો, નેતાઓએ ભદ્રકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

Ahmedabad : શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરેથી કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ રેલીનો પ્રારંભ થયો. ભાજપના આગેવાનો, નેતાઓએ ભદ્રકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ભાજપના લઘુમતિ મોરચાના આગેવાનોએ શાહપુરમાં કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાનું ઢોલ-નગારા અને ગુલાલ ઉડાડીને સ્વાગત કર્યું. જે બાદ ભાજપની રેલી જગન્નાથ મંદિર પહોંચી. આ રેલીમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અમદાવાદ ભાજપના શહેર પ્રમુખ અમિત શાહ, રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યાં. આ રેલી બોડકદેવના પંડિત દિનદયાળ હોલ પહોંચશે. જ્યાં કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરા સંબોધન કરશે.

 

 

Next Video