અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માગતા મુસાફરો માટે રાજ્ય સરકારે કરી ખાસ વ્યવસ્થા, જુઓ VIDEO

|

Jan 23, 2019 | 5:14 AM

અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. હવે ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માટે વોલ્વો બસની સેવા અમદાવાદથી જ મળી રહેશે. એસટી વિભાગ દ્વારા બુધવારથી 13 નવા રૂટ શરૂ કરવામાં આવશે. આ 13 નવા રૂટથી દેશના 6 રાજ્ય સાથે એસટી બસની કનેક્ટિવિટી શરૂ કરાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નવી બસોને લીલીઝંડી […]

અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માગતા મુસાફરો માટે રાજ્ય સરકારે કરી ખાસ વ્યવસ્થા, જુઓ VIDEO

Follow us on

અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. હવે ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માટે વોલ્વો બસની સેવા અમદાવાદથી જ મળી રહેશે. એસટી વિભાગ દ્વારા બુધવારથી 13 નવા રૂટ શરૂ કરવામાં આવશે. આ 13 નવા રૂટથી દેશના 6 રાજ્ય સાથે એસટી બસની કનેક્ટિવિટી શરૂ કરાશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નવી બસોને લીલીઝંડી આપશે. વિવિધ રૂટ્સ પરના બસના ભાડાની અને કેટલો સમય લેશે વોલ્વાવો તેના પર નજર કરીએ.

અમદાવાદથી ગોવા

અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટી વોલ્વો બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે. ગોવા માટે 3, 320 રૂપિયા ભાડું ચુકવવું પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જુઓ VIDEO:

અમદાવાદથી હરિદ્વાર

હરિદ્વાર જવા માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ માટે મુસાફરે 2,696 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

અમદાવાદથી વારાણસી

વારાણસી માટે એસટીની વોલ્વો રાત્રે આઠ વાગ્યે ઉપડશે. આ બસ ત્રીજા દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે વારાણસી પહોંચાડશે. એટલે કે અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય લાગે છે તેના પહેલા એસટીની બસ વારાણસી પહોંચી જશે. એક અંદાજ પ્રમાણે બસમાં મુસાફરી માટે 33 કલાક જેટલો સમય લાગશે. વારાણસી જવા માટે 3,315 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

અમદાવાદથી ચંદીગઢ

જ્યારે ચંદીગઢ માટે બપોરે બે વાગ્યે બસ ઉપડશે. આ બસ ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચશે. આ માટે મુસાફરે 2,425 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

આ પણ વાંચો: હવે IRCTC માત્ર ટ્રેનની જ નહીં, પરંતુ કરાવશે દુનિયાના સુંદર દેશોની હવાઈ મુસાફરી પણ, જાણો IRCTCના Jordan, Egypt અને Israelના પેકેજની કિંમત

વોલ્વો સવારી

ગોવા, હરિદ્વાર, વારાણસી જતા મુસાફરો માટે આનંદના સમાચાર
વોલ્વો બસની સેવા અમદાવાદથી જ મળી રહેશે
એસટી વિભાગ આજે શરૂ કરશે 13 નવા રૂટ
દેશના 6 રાજ્યો સાથે એસટી બસની કનેક્ટિવિટી

[yop_poll id=752]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:46 am, Wed, 23 January 19

Next Article