AHMEDABAD : ઘાટલોડિયામાં ત્રિપદા સ્કૂલ પર વાલીઓનો હોબાળો, ગુજરાત બોર્ડના વર્ગો બંધ કરાતા નારાજગી

|

Mar 05, 2021 | 4:39 PM

AHMEDABAD : ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ વખતે ફી મુદ્દે નહીં પરંતુ ગુજરાત બોર્ડના વર્ગો બંધ કરી લેવા મુદ્દે વાલીઓએ હંગામો કર્યો છે.

AHMEDABAD : ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ વખતે ફી મુદ્દે નહીં પરંતુ ગુજરાત બોર્ડના વર્ગો બંધ કરી લેવા મુદ્દે વાલીઓએ હંગામો કર્યો છે. ત્રિપદા ઈંગ્લીશ સ્કૂલમાં CBSE અને ગુજરાત બોર્ડ બંનેના વર્ગો ચાલતા હતા. પરંતુ હવે એકાએક શાળાએ ગુજરાત બોર્ડના વર્ગ બંધ કરી નાખ્યા. સાથે જ વાલીઓને પત્ર લખીને કહ્યું કે, પોતાના સંતાનની એલસી લઈ જાઓ અથવા CBSEમાં ટ્રાન્સફર લઈ લો. શાળાની આ દાદાગીરી સામે વાલીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. બીજી તરફ શાળાએ CBSEના વર્ગોની ફી પણ વધારી દીધી છે. એટલે કે વાલીઓનો સીધો આક્ષેપ છે કે, કમાણી કરવાના હેતુસર શાળાએ આ પગલું લીધું છે.

 

જોકે સૌથી મહત્વની વાત છે કે, અગાઉ પણ કેટલીક જગ્યાએ આવી ઘટનાઓ સામે આવી હતી. જેમા શાળાઓ ગુજરાતી બોર્ડ અથવા ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરી દીધી હોય. ત્યારે પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે, શું કમાણી કરવાની હોડમાં શાળાઓ ગુજરાતી માધ્યમ અને ગુજરાતી બોર્ડનું શિક્ષણ બંધ કરી રહ્યા છે. શાળાઓની આવી મનમાની યથાવત રહી તો વાલીઓને ડર છે કે, કેટલાક વર્ષો બાદ તો કદાચ ગુજરાતી માધ્યમની શાળાઓ પણ જોવા નહીં મળે. તો ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા શિખશે કઈ રીતે ? તે એક સવાલ છે. માત્ર શાળાઓ જ નહીં પરંતુ વાલીઓમાં તોતિંગ ફી ચુકવીને પોતાના સંતાનોને CBSE બોર્ડમાં શિક્ષણ આપવાની હોડ લાગી હોય તેવું જોવા મળે છે.

Next Video