અમદાવાદમાં બનશે 7 નવા ફ્લાયઓવર, પ્રહલાદનગર સહિત 3 જગ્યાઓએ બનશે મલ્ટિલેવલ પાર્કિંગ, જાણો AMC બજેટ 2019-20ની મુખ્ય બાબતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 8 હજાર 51 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. 542 કરોડ રૂપિયાના સુધારા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2019-20ના આ બજેની મુખ્ય હાઈલાઈટ્સ પર કરીએ નજર: રૂ.542 કરોડના સુધારા સાથેનું રૂ.8051 કરોડનું બજેટ બજેટમાં સૌથી મોટી રાહત એ છે કે, પ્રોપર્ટી સહિતના કોઇપણ ટેક્સમાં કોઇ વધારો કરવામાં […]
Follow us on
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 8 હજાર 51 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. 542 કરોડ રૂપિયાના સુધારા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2019-20ના આ બજેની મુખ્ય હાઈલાઈટ્સ પર કરીએ નજર:
રૂ.542 કરોડના સુધારા સાથેનું રૂ.8051 કરોડનું બજેટ
બજેટમાં સૌથી મોટી રાહત એ છે કે, પ્રોપર્ટી સહિતના કોઇપણ ટેક્સમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
અમદાવાદ શહેરમાં સાત નવા ફ્લાયઓવર માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. વાડજ દાંડી ચોક, નરોડા પાટીયા ફ્લાય ઓવરબ્રિજ, મણિનગર રેલવે ક્રોસિંગ, શાહીબાગ ડફનાળા, નરોડા ગેલેક્સી ફ્લાય ઓવરબ્રિજ, વિનોદાભાવે અને વિવાકાનંદનગર ખાતે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે.
તો બીજી તરફ 6 નવા રોડનું ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે.
લાલદરવાજા ટર્મિનસ અને માણેકચોકનું રૂપિયા 5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરશે.
શારદાબેન હોસ્પિટલનું 10 કરોડના ખર્ચે કરાશે નવિનીકરણ પણ કરવામાં આવશે. એટલું જ નહીં, હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓને 10 રૂપિયામાં ભોજન આપવાની પણ જાહેરાત કોર્પોરેશને કરી છે. તો ઈલેક્ટ્રિક વાહનોના વેરામાં 100 ટકા મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.