Ahmedabad : કુબેરનગરમાં માસ્ક મુદ્દે હેરાનગતીને લઈને કાર્યવાહી કરાઇ છે. સિંધી સમાજના વિરોધ બાદ બે પીએસઆઈની બદલી કરાઇ છે. સરદારનગરના પીએસઆઈ એમ.જી.ઢોઢિયા, આઈ.કે.મોથલિયાની બદલી થઇ છે. વેપારીઓએ માસ્કના મુદ્દે પોલીસ હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ પર મારપીટ કરવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. આ મામલે કુબેરનગરના વેપારીઓએ બંધ પાળીને વિરોધ દર્શાવ્યો હતો.