Ahmedabad: ધન્વંતરિ હોસ્પિટલના દર્દીઓ માટે ખુશખબર, ટેલી મેડિસનથી સારવાર શરૂ

|

May 12, 2021 | 12:52 PM

ગુજરાતમાં કોરોના સામેનો જંગ જારી છે. એક તરફ ઘણા દિવસો બાદ રાજ્યમાં કોરોનાના નવા 11 હજારથી નીચે કેસ નોંધાયા છે તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

Ahmedabad : ગુજરાતમાં કોરોના સામેનો જંગ જારી છે. એક તરફ ઘણા દિવસો બાદ રાજ્યમાં કોરોનાના નવા 11 હજારથી નીચે કેસ નોંધાયા છે તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે ધન્વન્તરીના દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવી છે ટેલી મેડીસીન.

આ દરમિયાન ક્રિટિકલ દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવે છે. ટેલિમેડીસીન માટે ગુજરાતમાં 15 નિષ્ણાતોની ટીમ બનાવામાં આવી છે. દરરોજ નિષ્ણાતો વીડિયો કોલિંગ મારફતે દર્દીઓ માટે સેશન કરવામાં આવે છે. પરનેમોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ સહિત 15 ડોકટર ધન્વન્તરી હોસ્પિટલના મેડિકલ ટીમ સિવાય અલગથી દર્દીઓની મેડિકલ સ્થિતિ પર નજર રાખે છે.

હોસ્પિટલમાં દાવો કરવામાં આવે છે કે આ ટેકનીકના કારણે દર્દીઓની રિકવરી ઝડપી બની છે. હાલમાં DRDO હોસ્પિટલ પ્રથમ છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આગામી દિવસમાં અનેક હોસ્પિટલ પણ આ પ્રયોગ કરી શકે છે.

રાજ્યમાં સતત સાતમા દિવસે નવા કેસ કરતા રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં વધુ રેકોર્ડબ્રેક 15,198 દર્દીઓ સાજા થયા છે.જેની સામે નવા 10,990 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 118 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 8629 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5 લાખ 63 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં હજુ પણ 1 લાખ 31 હજાર 832 એક્ટિવ કેસ છે. જેમાંથી 798 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 80.04 ટકા પર પહોંચ્યો છે.

Next Video