અમદાવાદમાં(AHMEDABAD) છાશવારે આગની (FIRE) ઘટના સામે આવતી રહે છે. રવિવારે સવારે અમદાવાદના જુહાપુરાના(JUHAPURA) ચાર રસ્તા પાસે આવેલી આઠથી દસ દુકાનોમાં આકસ્મિક કારણોસર આગ લાગી હતી. આગની ઘટનાની ફાયર વિભાગને જાણ થતા ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં આ દુકાનોમાં આકસ્મિક કારણસર આગ લાગી હતી. એક દુકાનમાંથી જીવતી મરધીઓ પણ બહાર કાઢવામાં આવી હતી. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નોહતી.