AHMEDABAD : ભારતની જીતથી ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ, તો સ્ટેડિયમમાં ફુડના ઉંચા ભાવને લઇને નારાજગી

|

Feb 25, 2021 | 11:37 PM

AHMEDABAD : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતની જીતથી સ્વાભાવિક જ લોકોમાં અને ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચ અને ખુશી જોવા મળી હતી.

AHMEDABAD : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતની જીતથી સ્વાભાવિક જ લોકોમાં અને ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચ અને ખુશી જોવા મળી હતી. અને, મેચ પુરી થયા બાદ સ્ટેડિયમ બહાર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

તો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને તો લોકોએ આવકાર્યું પણ મેનેજમેન્ટને લઈને નારાજગી વ્યક્ત કરી કેમકે અહીં ફૂડના ભાવ એટલા વધારે રખાયા છે કે સામાન્ય લોકોને પરવડે નહીં. માત્ર પાણીના ગ્લાસના 10 થી 20 અને 20ની પાણીની બોટલના 50 થી 100 રૂપિયા લેવામાં આવતા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો. અને ભાવ ઘટાડવા માગ કરી.

Next Video