AHMEDABAD : કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કુલમાં ભીષણ આગ, 3 લોકોનું રેસ્કયુ કરાયું

|

Apr 09, 2021 | 2:05 PM

AHMEDABAD : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી છે.

AHMEDABAD : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી હતી.  આ ઘટનામાં શાળામાં કલરકામને પગલે 3 મજૂરો ફસાયા હતા. જેનું રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આગને પગલે પાંચ માળની સ્કૂલના તમામ માળ પરથી ધૂમાડાના ગોટે ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા હતા.

 

 

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી હતી. ઘટના સમયે સ્કૂલમાં 3 કલર કામના કારીગરો હતા. જોકે હવે તે તમામનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ સ્કૂલમાં કલરકામ તથા ફર્નિચરનું કામ ચાલું હોવાના કારણે લાકડામાં લગાવાતા સોલ્વન્ટના આગ કારણે લાગી હોય શકે છે.

 

Published On - 12:32 pm, Fri, 9 April 21

Next Video