ગુજરાતભરની જેલમાં બંધ કેદીઓને કરાશે મુક્ત, રાજ્યપાલની મંજૂરી બાદ કુલ 158 કેદી થશે મુક્ત

ગુજરાતની જેલમાં બંધ 158 જેટલા કેદીને મુક્ત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યપાલની મંજૂરી બાદ કુલ 158 કેદીને મુક્ત કરવામાં આવશે. કુલ 387 કેદીને 3 તબક્કામાં જેલ મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતો. જેમાં અગાઉ 2 તબક્કામાં 229 કેદીને મુક્ત કરાયા છે. જ્યારે છેલ્લા તબક્કામાં બાકીના 158 કેદીને મુક્ત કરવામાં આવશે. જે કેદીની ઉંમર આશરે 55થી […]

ગુજરાતભરની જેલમાં બંધ કેદીઓને કરાશે મુક્ત, રાજ્યપાલની મંજૂરી બાદ કુલ 158 કેદી થશે મુક્ત
| Updated on: Oct 01, 2019 | 1:12 PM

ગુજરાતની જેલમાં બંધ 158 જેટલા કેદીને મુક્ત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યપાલની મંજૂરી બાદ કુલ 158 કેદીને મુક્ત કરવામાં આવશે. કુલ 387 કેદીને 3 તબક્કામાં જેલ મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતો. જેમાં અગાઉ 2 તબક્કામાં 229 કેદીને મુક્ત કરાયા છે. જ્યારે છેલ્લા તબક્કામાં બાકીના 158 કેદીને મુક્ત કરવામાં આવશે. જે કેદીની ઉંમર આશરે 55થી 60 વર્ષની થતી હોય અને જો તેમણે પોતાની સજાના 50 ટકા જેટલો સમય જેલમાં પસાર કર્યો છે તો સરકારની મંજૂરી બાદ આવા કેદીઓને મુક્તિ અપાતી હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે PM મોદી દ્વારા ગુજરાતને સ્વચ્છ રાજ્યનો એવૉર્ડ એનાયત કરાશે