આગામી ડિસેમ્બરમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મ જયંતિ વડોદરા નજીક આવેલા ચાણસદ ગામે ઉજવાશે. આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે વડોદરાના નવલખી મેદાનમાં ભવ્ય ઉદઘોષ સભાનું આયોજન કરાયું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 50 હજાર કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સભામાં મહોત્સવને સફળ કરવા માટે ઉદઘોષ કરાયો હતો. એક વર્ષ દરમિયાન તમામ હરિભક્તો વડોદરાના 3 લાખ ઘરોમાં જઈને સમાજ કલ્યાણ, વ્યસન મુક્તિ સહિતના સમાજલક્ષી કાર્યોથી નાગરિકોને જાગૃત કરશે. આ સભામાં 50 હજાર હરિભક્તોએ ભગવાન ઠાકોરજી અને પૂજ્ય મહંત સ્વામીની આરતી ઉતારી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં તમામ 3 દર્દીઓની સ્થિતીમાં સુધારો