કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) સહિતની વિવિધ યુનિવર્સિટીઓએ મોકુફ રાખેલી પરિક્ષા યોજાશે જ તેવી જાહેરાત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કરી. કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને અટકાવવાના ભાગરૂપે. જે તે વિદ્યાશાખાના છેલ્લા વર્ષની મોકુફ રાખેલ પરિક્ષા લેવી કે ના લેવી તેના માટે જીટીયુ એ સોશ્યલ મિડીયા થકી વિદ્યાર્થીઓનો અભિપ્રાય મેળવ્યો હતો. જેમાં 54 હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા યોજવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે માત્ર 900 વિદ્યાર્થીઓએ જ પરિક્ષા ના યોજવી જોઈએનો વિકલ્પ પસંદ કર્યો હતો. આથી જીટીયુ, 3 વિકલ્પ સાથે પરિક્ષા યોજશે. જેમાં ઓનલાઈન, ઓફ લાઈન અને રહી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃપરિક્ષા આપવાનો વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીટીયુની પરીક્ષા આવતીકાલ 2 જુલાઈથી નિયત કાર્યક્રમ મુજબ લેવાશે. જ્યારે બાકીની યુનિવર્સિટીઓ પણ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરશે. જુઓ વિડીયો.