ફરિયાદ કરવા છતા ગૌચરમાં થતુ હતુ ગેરકાયદે ખનન, પંચમહાલથી ગાંધીનગર ઉદ્યોગભવન આત્મવિલોપન કરવા આવેલા 4ની અટકાયત

|

Jul 02, 2020 | 7:16 AM

પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ખનન થવાની ફરિયાદ કરી હોવા છતા, તંત્ર દ્વારા કોઈ જ પગલા ના લેવાતા, ગાંધીનગર ઉદ્યોગભવન ખાતે 4 વ્યકિતઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પંચમહાલ શહેરાના વલ્લભપૂરા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ પ્રત્યે ગાંધીનગર ખાતે ભૂસ્તર વિભાગની કચેરીમાં હીયરીગ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ કોઈ […]

ફરિયાદ કરવા છતા ગૌચરમાં થતુ હતુ ગેરકાયદે ખનન, પંચમહાલથી ગાંધીનગર ઉદ્યોગભવન આત્મવિલોપન કરવા આવેલા 4ની અટકાયત

Follow us on

પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ખનન થવાની ફરિયાદ કરી હોવા છતા, તંત્ર દ્વારા કોઈ જ પગલા ના લેવાતા, ગાંધીનગર ઉદ્યોગભવન ખાતે 4 વ્યકિતઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પંચમહાલ શહેરાના વલ્લભપૂરા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ પ્રત્યે ગાંધીનગર ખાતે ભૂસ્તર વિભાગની કચેરીમાં હીયરીગ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ કોઈ સંતોષકારક કાર્યવાહી ના થતા, આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. જો કે સ્થળ ઉપર હાજર પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવીને ચાર વ્યક્તિની અટકાયત કરી છે. જુઓ વિડીયો.

Next Article