અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ થયા છે. એસ.ટી નિગમ બાદ હવે રેલવે સ્ટેશનમા પણ AMCની ત્રણ ટીમ દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ થતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી, જે બાદ હવે ફરજિયાત કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે.