2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેને લઇને પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓની ઊંઘ હરામ થઇ ગઈ હતી. 2009થી આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે આ કેસનો ચુકાદો આજે કોર્ટ જાહેર કરી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ કેસમાં 33 લોકોની ધરપકડ તે સમયે કરવામાં આવી હતી. આ કેસમાં 650 જેટલા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. ઓઢવ લઠ્ઠાકાંડમાં કૂલ 123 લોકોનાં મોત થયા હતા, જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. અગાઉ કોર્ટે કાગડાપીઠ લઠ્ઠાકાંડમાં ચુકાદો આપ્યો હતો, જેમાં 10 આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા અને 8 જેટલા લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
[yop_poll id=”1″]
આ પણ વાંચો: શ્રીલંકા સામેની મેચમાં રોહિત શર્મા આ 3 વિશ્વ કપ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે