રાજકોટમાં કોરોનાથી આજે વધુ 14 દર્દીના મોત, કાબુ બહાર જતી સ્થિતિ, વિપક્ષ હવે મેદાનમાં

|

Sep 19, 2020 | 1:48 PM

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 26 દિવસમાં રાજકોટમાં કોરોનાથી 455 દર્દીના મોત થયા હોવાનો આકંડો સામે આવ્યો છે. રોજબરોજ વધી રહેલા મૃત્યુ આંકને લઈને હવે વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે. ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો છે કે, ગરીબોને મરવા માટે છોડી દિધા છે. […]

રાજકોટમાં કોરોનાથી આજે વધુ 14 દર્દીના મોત, કાબુ બહાર જતી સ્થિતિ, વિપક્ષ હવે મેદાનમાં

Follow us on

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 26 દિવસમાં રાજકોટમાં કોરોનાથી 455 દર્દીના મોત થયા હોવાનો આકંડો સામે આવ્યો છે. રોજબરોજ વધી રહેલા મૃત્યુ આંકને લઈને હવે વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે. ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો છે કે, ગરીબોને મરવા માટે છોડી દિધા છે. ખાનગી હોસ્પિલમાં બે કે ચાર જણા મોતને ભેટે છે જ્યારે સરકારી હોસ્પિટલમાં મોતનો આંકડો વધુ છે. સિવીલ હોસ્પિટલમાં શા માટે ખાનગી હોસ્પિટલ જેવી સારવાર નથી મળતી. અમારા કહેવાથી સરકાર જાગે અને કોઈનું જીવન બચે તો અમારુ કામ સાર્થક રહેશે. લલિત વસોયાએ પણ કહ્યું કે ચાર તાલુકાની વચ્ચે એક કોવિડ હોસ્પિટલ બને. સૌરાષ્ટ્રના કોઈ દર્દીને રાજકોટ સુધી ના આવવુ પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃચીન સરહદે સ્થિતિ ગંભીર, ચીન સાથે જોડાયેલી આખી LAC ઉપર સૈન્ય તહેનાત, ચીનના છમકલાનો જડબાતોડ જવાબ અપાશેઃસેનાધ્યક્ષ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:51 am, Fri, 4 September 20

Next Article