Gujarati NewsGujarat14 covid patients died in rajkot today opposition alleges lack of proper medical facilities
રાજકોટમાં કોરોનાથી આજે વધુ 14 દર્દીના મોત, કાબુ બહાર જતી સ્થિતિ, વિપક્ષ હવે મેદાનમાં
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 26 દિવસમાં રાજકોટમાં કોરોનાથી 455 દર્દીના મોત થયા હોવાનો આકંડો સામે આવ્યો છે. રોજબરોજ વધી રહેલા મૃત્યુ આંકને લઈને હવે વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે. ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો છે કે, ગરીબોને મરવા માટે છોડી દિધા છે. […]
Follow us on
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 26 દિવસમાં રાજકોટમાં કોરોનાથી 455 દર્દીના મોત થયા હોવાનો આકંડો સામે આવ્યો છે. રોજબરોજ વધી રહેલા મૃત્યુ આંકને લઈને હવે વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે. ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો છે કે, ગરીબોને મરવા માટે છોડી દિધા છે. ખાનગી હોસ્પિલમાં બે કે ચાર જણા મોતને ભેટે છે જ્યારે સરકારી હોસ્પિટલમાં મોતનો આંકડો વધુ છે. સિવીલ હોસ્પિટલમાં શા માટે ખાનગી હોસ્પિટલ જેવી સારવાર નથી મળતી. અમારા કહેવાથી સરકાર જાગે અને કોઈનું જીવન બચે તો અમારુ કામ સાર્થક રહેશે. લલિત વસોયાએ પણ કહ્યું કે ચાર તાલુકાની વચ્ચે એક કોવિડ હોસ્પિટલ બને. સૌરાષ્ટ્રના કોઈ દર્દીને રાજકોટ સુધી ના આવવુ પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.