ફિલ્મ ‘આકાશવાણી’ના સ્ક્રિનિંગ દરમિયાન અભિનેત્રી Nushrratt Bharuccha કેમ રડી પડી, કર્યો ખુલાસો

|

Jan 29, 2021 | 7:46 PM

ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચાએ ખુલાસો કર્યો છે કે ફિલ્મ 'આકાશવાણી'ના સ્ક્રિનિંગ દરમિયાન એક છોકરાની અવિનિત ટિપ્પણીઓને કારણે તે રડતી હતી. હવે તેણે આ આખી ઘટના વિશે જણાવ્યું છે.

ફિલ્મ આકાશવાણીના સ્ક્રિનિંગ દરમિયાન અભિનેત્રી Nushrratt Bharuccha કેમ રડી પડી, કર્યો ખુલાસો

Follow us on

ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચાએ ખુલાસો કર્યો છે કે ફિલ્મ ‘આકાશવાણી’ના સ્ક્રિનિંગ દરમિયાન એક છોકરાની અવિનિત ટિપ્પણીઓને કારણે તે રડતી હતી. હવે તેણે આ આખી ઘટના વિશે જણાવ્યું છે. નૂસરત ભરૂચા બોલિવૂડની અભિનેત્રી છે અને તેમાં તેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. નુસરત ભરૂચાએ ફિલ્મ ‘જય સંતોષી માં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે ‘પ્યાર કા પંચનામા’થી લોકપ્રિય થઈ હતી.આ ફિલ્મમાં કાર્તિક આર્યન, દેવેન્દુ શર્મા, સોનાલી સહગલ અને ઈશિતા રાજ શર્માએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

 

નુસરત ભરૂચા અને કાર્તિક આર્યને લુવ રંજનની ફિલ્મ ‘આકાશવાણી’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. આ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન એક છોકરાએ ખરાબ ટિપ્પણી કરી હતી.આને કારણે નુસરત ભરૂચની આંખોમાં આંસુ આવ્યા હતા. તેમને એક મુલાકાતમાં આ વિશે જણાવ્યું હતું.

નુસરત ભરૂચાએ જણાવ્યું હતું કે તે ‘આકાશવાણી’ જોવા માટે તેના પરિવાર સાથે ફિલ્મના સ્ક્રીનિંગ માટે થિયેટરમાં ગઈ હતી. જોકે, જ્યારે તેમની પાછળ બેઠેલા છોકરાએ ફિલ્મ વિશે અભદ્ર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું, ત્યારે તે રડવા લાગી. નુસરત ભરુચા તેમના નવા ગીત ‘સઈયાજી’ વિશે પ્રખ્યાત થઈ રહી છે. આ ગીત યો યો હની સિંહે ગાયું છે.

 

નુસરત ભરૂચાએ આ ગીત વિશે જણાવ્યું હતું કે, ‘સઈયાજી મારું તાજેતરનું ગીત છે. યો યો હની સિંહે ખૂબ જ સારુ ગાયું છે અને તેમણે મને ખૂબ સારા ગીતમાં રજૂ કરી છે. હું હની સિંહની ખૂબ જ મોટી ચાહક છું અને તેમણે મને ગાવાની તક પણ આપી છે. તે મારી સાથે ફ્રેમમાં પણ હતા. મારા માટે તેમની સાથે કામ કરવાનો આ એક મહાન અનુભવ રહ્યો છે.

 

Next Article