શું છે નવો Cinematograph Act? કેમ ફિલ્મજગતના લોકો કરી રહ્યા છે આનો વિરોધ? જાણો

|

Jul 03, 2021 | 4:06 PM

નવા સિનેમેટોગ્રાફ એક્ટ 2021પર સૂચના અને પ્રસારણ મંત્રીએ 2 જુલાઈ સુધી સલાહ માંગી હતી. પરંતુ આ પહેલા જ આ એક્ટને લઈને વિરોધ શરુ થઇ ગયો છે.

શું છે નવો Cinematograph Act? કેમ ફિલ્મજગતના લોકો કરી રહ્યા છે આનો વિરોધ? જાણો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ જગતમાં વાદવિવાદ ચાલી રહ્યો છે. આ વખતે આગ નવા સિનેમેટોગ્રાફ એક્ટ 2021 (Cinematograph (Amendment) Bill, 2021)ના નામે લાગી છે. વાત જાણે એમ છે સૂચના એન પ્રસારણ મંત્રીએ 2 જુલાઈ સુધી સામાન્ય લોકો પાસેથી આ એક્ટ પર સલાહ માંગી હતી. પરંતુ હવે ફિલ્મ જગત આ એક્ટને લઈને એકઠું થઇ ગયું છે. મોટાભાગના ફિલ્મ મેકર્સનું કહેવું છે કે આ અભિવ્યક્તિની આજાદીનું ગળું દબાવવા જેવું છે. એટલું જ નહિ અહેવાલો અનુસાર ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે આ એક્ટથી અસહમત હોય એવા લોકોને કિનારે કરવાની આમાં વાત છે.

તમને જણાવી દઈએ કે આ સંબંધમાં ફિલ્મ જગતના 3000 થી વધુ લોકોએ સહી કરીને આપત્તિ લખી છે. અને સુચના અને પ્રસારણ મંત્રીને મોકલવામાં આવી છે.

ચાલો તમને જણાવી દઈએ શું છે Cinematograph (Amendment) Bill, 2021 માં

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ એક્ટનો ઉદ્દેશ્ય ફિલ્મોની સાહિત્યિક ચોરો (Piracy) રોકવાનો છે. જેમાં અનધિકૃત કેમેકકોર્ડિંગ અને ફિલ્મોના ડુપ્લિકેશન સામે જેલ સહિતના દંડની જોગવાઈઓ શામેલ છે. આ કાયદામાં, સરકારને તે ફિલ્મ વિશે ફરિયાદ મળે તે પછી તેની ફરીથી પ્રમાણિત કરવાનો હક પણ હશે. અને જેના કારણે આટલો વિવાદ થઇ રહ્યો છે.

ફિલ્મની પાયરસી રોકવા માટેના કાયદાની માંગ લાંબા સમયથી ફિલ્મ જગત કરતુ આવ્યું છે. PM મોદીએ ભારતીય સિનેમાના રાષ્ટ્રીય સંગ્રહાલય (National Museum of Indian Cinema)ના ઉદ્ધઘાટન દરમિયાન આ વિશે આશ્વાસન આપ્યું હતું.

તો કેમ થઇ રહ્યો છે વિરોધ?

ફિલ્મ જગતે આપેલા પત્ર અનુસાર આ નવા એક્ટ ત્ગકી ફિલ્મ મેકર્સની શક્તિ રાજ્યોના હાથમાં જતી રહેશે. જેથી વિરોધ કરનારાને ચાન્સ મળી જશે અને ભીડથી ફિલ્મો નિયંત્રિત કરવાના પ્રયાસ થશે. આ સાથે એ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર ફરિયાદ મળે તો પ્રમાણિત કરેલી ફિલ્મને ફરી પ્રમાણિત કરી શકે છે.

ફિલ્મ દિગ્ગજોનું માનવું છે કે જો આમ થાય છે તો સેન્સર બોર્ડ અને સુપ્રીમ કોર્ટની પ્રાધાન્યતા ઓછી થશે અને કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં સર્વોચ્ચ સત્તા મળશે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતાને પણ અસર કરશે.

કોણ કરી રહ્યું છે વિરોધ?

તમને જણાવી દઈએ કે આ વિરોધમાં મીરાં નાયાર, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શબાના આઝમી, ફરહાન અખ્તર, હાંસલ મેહતા, રાકેશ ઓમ પ્રકાશ મેહરા, કમળ હાસન તેમજ તમિલ, મલયાલમ, બંગાળી કલાકારો આ એક્ટને લઈને વિરોધ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Ranbir Kapoor ને પહેલીવાર કરીના કપૂરે કરી આ ખાસ રિક્વેસ્ટ, શું પુરી કરશે અભિનેતા, જુઓ વીડિયો

આ પણ વાંચો: Aamir Khan Divorce: 15 વર્ષ બાદ આમિર ખાન અને કિરણ રાવના થયા છૂટાછેડા, જાણો કારણ

Next Article