Fact Check : લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા શાહરૂખ ખાન સાથે શું થઇ હતી ગેરસમજ, જાણો આ પાછળનું સત્ય અને સાચું કારણ

|

Feb 07, 2022 | 8:31 AM

રવિવારે લતા મંગેશકર આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ભારત રત્નને અંતિમ વિદાય આપવા માટે તમામ લોકો પહોંચ્યા જેમાં શાહરૂખ ખાન પણ સામેલ થયો હતો. જોકે શાહરૂખનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તે ચર્ચામાં આવ્યો છે.

Fact Check : લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા શાહરૂખ ખાન સાથે શું થઇ હતી ગેરસમજ, જાણો આ પાછળનું સત્ય અને સાચું કારણ
shah rukh khan ( PS: Instagram)

Follow us on

ભારતની સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) રવિવારે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. લતા મંગેશકરના અવસાનથી માત્ર પરિવાર અને તેમના ફેન્સ જ દુઃખી નથી, પરંતુ સમગ્ર દેશ તેમની ખોટ અનુભવી રહ્યો છે. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીથી (PM Narendra Modi) લઈને મોટા રાજકારણીઓ અને બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા. દરેકની આંખો ભીની હતી અને ચહેરા પર ઉદાસી હતી. લાંબા સમયથી પાપારાઝીથી દૂર રહેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan)  પણ લતા મંગેશકરને વિદાય આપવા પહોંચ્યા હતા. જોકે, શાહરૂખને લઈને ખોટો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો અને અભિનેતાના ફેન્સ ખૂબ જ નિરાશ છે.

હકીકતમાં જ્યારે શાહરૂખ તેના મેનેજર સાથે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો હતો તે સમયે તેણે લતા મંગેશકર માટે પ્રાર્થના કરી હતી અને પછી માસ્ક નીચે ઉતારીને લતા મંગેશકરના પગ પાસે ફૂંક મારી જે દુઆ પછી કરવામાં આવે છે. પરંતુ શાહરૂખની આ મોમેન્ટને કેદ કરીને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે શાહરૂખ થૂંક્યો છે. હવે આ કમેન્ટ અને વીડિયો વાયરલ થયા બાદ સ્વરા ભાસ્કર અને અશોક પંડિત તેમના સમર્થનમાં આવ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું, ‘રોજ આ નફરત કરનાર ચિન્ટુ પોતાની નફરતને દિલના ઊંડાણમાં છુપાવે છે અને પોતાના ચુસ્ત હૃદયની સાબિતી આપે છે. શાહરૂખ હજી પ્રાર્થના કરી રહ્યો છે પરંતુ આ નફરત કરનારાઓની માનસિકતા આ દેશમાંથી બહાર થૂંકવાને લાયક છે.

બીજી તરફ અશોક પંડિતે ટ્વિટ કરીને શાહરૂખ ખાન પર લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં થૂંકવાનો આરોપ લગાવ્યો તે ખોટું છે અને જેઓ આવું કરી રહ્યા છે તેમને શરમ આવવી જોઈએ. તેણે પ્રાર્થના કરી અને પછી આત્માની શાંતિ માટે ફૂંક મારી હતી. આપણા દેશમાં આવી નફરત ન ફેલાવી શકાય.

લતા મંગેશકર વિશે કહેવામાં આવે તો તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તે 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતી. કોવિડ પોઝિટિવ હોવાનું અને ન્યુમોનિયાના લક્ષણો હોવાના કારણે તે ICUમાં હતી. દરરોજ તેના સ્વાસ્થ્યના અપડેટ્સ આવતા રહે છે. તેમની તબિયતમાં સુધારાના સમાચાર આવ્યા હતા. પરંતુ પછી શનિવારે અપડેટ આવ્યું કે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે અને પછી રવિવારે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા.

આ પણ વાંચો :  Good news : ભારતમાં વધુ એક વેક્સિનને મળી મંજૂરી, DCGI સિંગલ-ડોઝ Sputnik Lightના ઇમરજન્સી ઉપયોગ માટે આપી લીલી ઝંડી

આ પણ વાંચો : Lata Mangeshkar Died: લતા મંગેશકરે પોતાના અવાજથી 5 વખત દેશને કર્યો સપોર્ટ, જાણો તેમના યોગદાન વિશે

Published On - 8:30 am, Mon, 7 February 22

Next Article