ગુજરાતી સિનેમા અને રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અરવિંદ જોશીનું નિધન

|

Jan 29, 2021 | 9:21 AM

દિગ્ગજ અભિનેતા અને ગુજરાતી રંગભૂમિના કલાકાર, નિર્માતા, દિગ્દર્શક અરવિંદ જોશી એક બહુમુખી પ્રતિભા હતા. આજે વહેલી સવારે નિધન થયું.

દિગ્ગજ અભિનેતા અને ગુજરાતી રંગભૂમિના કલાકાર, નિર્માતા, દિગ્દર્શક અરવિંદ જોશીને કોણ નહીં ઓળખતું હોય. આ બહુમુખી પ્રતિભાનું આજે વહેલી સવારે નિધન થવા પામ્યું હતું. અરવિંદ જોશીનો ગુજરાતી સિનેમા અને રંગભૂમિમાં ખુબ મોટો ફાળો રહ્યો છે. તેઓ બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા શરમન જોશીના પિતા છે. મળેલી માહિતી અનુસાર અરવિંદ જોશીનો અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે કરાશે. આ દુખદ સમાચાર આવતાની સાથે જ ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી જવા પામી છે. લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

Next Video