Uday Chopra Birthday : ‘ધૂમ 3’ અને ‘મોહબ્બતેં’ જેવી ફિલ્મો કરવા છતાં બોલિવૂડમાં ન મળ્યું કામ, જાણો હવે શું કરી રહ્યો છે એક્ટર ?

|

Jan 05, 2022 | 8:01 AM

એક્ટર ઉદય ચોપરા પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક્ટર છેલ્લા 7 વર્ષથી ફિલ્મી દુનિયાથી દૂર છે. ચાલો જાણીએ ઉદય ચોપરા આ દિવસોમાં શું કરી રહ્યા છે.

Uday Chopra Birthday : ધૂમ 3 અને મોહબ્બતેં જેવી ફિલ્મો કરવા છતાં બોલિવૂડમાં ન મળ્યું કામ, જાણો હવે શું કરી રહ્યો છે એક્ટર ?
Uday Chopra birthday

Follow us on

બોલિવૂડ એક્ટર ઉદય ચોપરાએ (Uday Chopra) ‘મોહબ્બતેં’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેતાએ ઘણા મોટા બેનરની ફિલ્મો સાથે કામ કર્યું. પરંતુ તેની કરિયરને વધુ સફળતા મળી ન હતી. ફિલ્મોમાં અભિનય ઉપરાંત ઉદયે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. આ સિવાય તેણે કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.

ઉદય ફિલ્મ નિર્માતા યશરાજ ચોપરાનો પુત્ર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કરી હતી. તેણે ‘દિલ તો પાગલ હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યું હતું. ઘણા વર્ષો સુધી સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યા પછી ઉદયે વર્ષ 2000માં ‘મોહબ્બતેં’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, જીમી શેરગિલ, ઐશ્વર્યા રાય જેવા ઘણા સ્ટાર્સ હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. પણ ઉદયની કરિયરને બહુ ફાયદો ન થયો.

ત્યારબાદ ઉદયે ‘મેરે યાર કી શાદી’, ‘મુઝસે દોસ્તી કરોગે’, ‘કલ હો ના હો’, ‘હમ-તુમ’, ‘નીલ એન્ડ નિકી’, ‘ધૂમ 2’ અને ‘ધૂમ 3’ જેવી ફિલ્મો કરી. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં કુલ 12 ફિલ્મો કરી છે. એક્ટિંગમાં કરિયર ન બનાવ્યા બાદ હવે તે પ્રોડ્યુસર બની ગયો છે. ઉદયે વર્ષ 2014માં ગ્રેસ ઓફ મોનાકો અને ધ લોન્ગેસ્ટ વીક જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. અભિનેતા તેની અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહ્યો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ઉદય ચોપરા નરગીસ ફખરીને કરી ચુક્યો છે ડેટ

ઉદય ચોપરા બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ફખરી સાથે રિલેશનશિપમાં હતા. અભિનેતાઓ તેમના જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. બંનેએ પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું હતું. નરગીસ અને ઉદય પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરે છે. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે ઉદય ચોપરા સાથે પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતી.

તેણીએ આગળ કહ્યું કે મને અમારા સંબંધો છુપાવવા માટે કહેવામાં આવ્યું હતું.મને હંમેશા દુઃખ રહેશે કે હું આવા સારા માણસ સાથે સંબંધમાં હતી અને ક્યારેય લોકોને કહી શકતી નથી, જોકે તેમના બ્રેકઅપનું કારણ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતુ એક્ટ્રેસ હવે ભારતમાં રહેતી નથી. નરગીસે ​​’રોકસ્ટાર’માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. જે બાદ અભિનેત્રી કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ તે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી ન હતી.

આ પણ વાંચો : Mumbai: કોર્ડેલિયા ક્રૂઝ ગોવાથી મુંબઈ પરત આવી, 66 સંક્રમિત લોકોને રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં કરવામાં આવ્યા શિફ્ટ

આ પણ વાંચો : Jammu Kashmir: સુરક્ષા દળોએ આતંક સામે કમર કસી, ખીણમાં 4 દિવસમાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત 5 આતંકવાદીઓ માર્યા ગયા

Next Article