TMKOC : નાના પડદાનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બધા જ પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. શોમાં નટુકાકાનો(Nattu kaka) રોલ નિભાવતો ઘનશ્યામ નાયક (Ghanshyam Nayar) આજકાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી નટુકાકા શોમાં નજરે ના આવતા ફેન્સમાં ચિંતા છવાઈ ગઈ હતી. પરંતુ બાદમાં ખબર પડી હતી કે, ઘનશ્યામ નાયક છેલ્લા થોડા સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. 77 વર્ષીય એક્ટરનું હાલમાં જ ઓપરેશન થયું હતું. જે બાદ ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી.
થોડા સમય પહેલા કેન્સરની બીમારી હોવાની ખબર પડતા ઘનશ્યામ નાયકના પરિવારે તેની કિમોથેરાપી શરૂ કરવામાં આવી છે. તો બીજી રતરફ ફેન્સ પણ નટુકાકા જલ્દી જ સાજા થઈને ઠીક થઈને શો પર પરત ફરે. આ વચ્ચે ખબર આવી રહી છે કે, નટુકાકાએ તેની છેલ્લી ઈચ્છા બતાવી છે. નટુકાકાએ જણાવ્યું હતું કે, તેનું નિધન થાય છે ત્યારે તે મેકઅપકરીને આ દુનિયાને અલવિદા કરવાનું પસંદ કરશે.
બૉલીવુડની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, ઘનશ્યામ નાયકએ તેની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ મુજબ, ફેન્સના મનપસંદ પાત્ર નટુ કાકાએ કહ્યું હતું કે, તે તેના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માંગે છે. નોંધનીય છે કે, ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલ છે. છેલ્લા 13 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન થયું હતું. જેમાં 8 ટયુમર કાઢવામાં આવી હતી. નટુકાકાની લગાતાર ટ્રીટમેન્ટ બાદ તેની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ નટુકાકા ગુજરાતના દમણમાં શૂટિંગ કરી રહ્યા છે. ઘનશ્યામ નાયક આવનાર સમયમાં મુંબઈમાં શોનું શૂટિંગને લઈને ઘણા ઉત્સાહિત છે.
Published On - 11:51 am, Thu, 24 June 21