TMKOC : કેન્સર સામે ઝઝૂમી રહેલા Nattu Kakaએ કહી તેની છેલ્લી ઈચ્છા, આ રીતે દુનિયાને કરવા માંગે છે અલવિદા

|

Jun 24, 2021 | 12:34 PM

TMKOC : ગત વર્ષે ઘનશ્યામ નાયકના ( Ghanshyam Nayak ) ગળાનું ઓપરેશન થયું હતું. જેમાં 8 ટયુમર કાઢવામાં આવી હતી. નટુકાકાની ( Nattu kaka) તરીકે ઘરેઘરે જાણીતા થયેલા ઘનશ્યામ નાયકની સતત ટ્રીટમેન્ટ બાદ તેમની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે.

TMKOC : કેન્સર સામે ઝઝૂમી રહેલા Nattu Kakaએ કહી તેની છેલ્લી ઈચ્છા, આ રીતે દુનિયાને કરવા માંગે છે અલવિદા
કેન્સર સામે ઝઝૂમી રહેલા નટુકાકાએ કહી તેની છેલ્લી ઈચ્છા

Follow us on

TMKOC : નાના પડદાનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બધા જ પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. શોમાં નટુકાકાનો(Nattu kaka) રોલ નિભાવતો ઘનશ્યામ નાયક (Ghanshyam Nayar) આજકાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી નટુકાકા શોમાં નજરે ના આવતા ફેન્સમાં ચિંતા છવાઈ ગઈ હતી. પરંતુ બાદમાં ખબર પડી હતી કે, ઘનશ્યામ નાયક છેલ્લા થોડા સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. 77 વર્ષીય એક્ટરનું હાલમાં જ ઓપરેશન થયું હતું. જે બાદ ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી.

થોડા સમય પહેલા કેન્સરની બીમારી હોવાની ખબર પડતા ઘનશ્યામ નાયકના પરિવારે તેની કિમોથેરાપી શરૂ કરવામાં આવી છે. તો બીજી રતરફ ફેન્સ પણ નટુકાકા જલ્દી જ સાજા થઈને ઠીક થઈને શો પર પરત ફરે. આ વચ્ચે ખબર આવી રહી છે કે, નટુકાકાએ તેની છેલ્લી ઈચ્છા બતાવી છે. નટુકાકાએ જણાવ્યું હતું કે, તેનું નિધન થાય છે ત્યારે તે મેકઅપકરીને આ દુનિયાને અલવિદા કરવાનું પસંદ કરશે.

બૉલીવુડની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, ઘનશ્યામ નાયકએ તેની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ મુજબ, ફેન્સના મનપસંદ પાત્ર નટુ કાકાએ કહ્યું હતું કે, તે તેના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માંગે છે. નોંધનીય છે કે, ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલ છે. છેલ્લા 13 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન થયું હતું. જેમાં 8 ટયુમર કાઢવામાં આવી હતી. નટુકાકાની લગાતાર ટ્રીટમેન્ટ બાદ તેની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ નટુકાકા ગુજરાતના દમણમાં શૂટિંગ કરી રહ્યા છે. ઘનશ્યામ નાયક આવનાર સમયમાં મુંબઈમાં શોનું શૂટિંગને લઈને ઘણા ઉત્સાહિત છે.

Published On - 11:51 am, Thu, 24 June 21

Next Article