દીયા ઔર બાતી હમ : શું બીજી સીઝન પાછી આવી રહી છે? દીપિકા અને અનસનું સ્થાન લઈ શકે છે આ સ્ટાર્સ !

દીપિકા સિંહ અને અનસ રશિદના સુપરહિટ શો 'દિયા ઔર બાતી હમ'ને લઈને અપડેટ્સ આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે શોના મેકર્સ તેની બીજી સીઝન શરૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે અને તેમણે નવા કલાકારોની પસંદગી પણ કરી લીધી છે.

દીયા ઔર બાતી હમ : શું બીજી સીઝન પાછી આવી રહી છે? દીપિકા અને અનસનું સ્થાન લઈ શકે છે આ સ્ટાર્સ !
Diya Aur Baati Hum
| Updated on: Dec 23, 2023 | 8:03 PM

ટેલિવિઝનની દુનિયામાં દરરોજ એક નવો શો શરૂ થાય છે અને એક પુરો થાય છે. જો કે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી સિરિયલો છે જે વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આમાંથી એક શો ‘દિયા ઔર બાતી હમ’ હતો, જે 12 વર્ષ પહેલા ટેલિકાસ્ટ થયો હતો. દીપિકા સિંહ અને અભિનેતા અનસ રશિદ આ શોમાં લીડ સ્ટાર તરીકે જોવા મળ્યા હતા. હવે આ શોને લઈને એક અપડેટ આવ્યું છે, જે ફેન્સને ખુશ કરી દેશે.

ટેલિકાસ્ટ 2011માં થયું હતું

તમને જણાવી દઈએ કે ‘દિયા ઔર બાતી હમ’ની શરૂઆત 2011માં થઈ હતી અને 2016 સુધી આ સીરિયલે દર્શકોનું ઘણું મનોરંજન કર્યું હતું. આ શોમાં સૂરજ અને સંધ્યાની વાર્તા બતાવવામાં આવી હતી. હવે સમાચાર આવ્યા છે કે ‘દિયા ઔર બાતી હમ’ની બીજી સીઝન શરૂ થઈ રહી છે. જો કે નવી સિઝનમાં ઘણા ફેરફારો કરવામાં આવશે. સાથે જ આ વખતે તેના લીડ સ્ટાર્સ કાસ્ટને પણ બદલવામાં આવશે.

આ સ્ટારને જોઈ શકાશે

જો રિપોર્ટ્સનું માનીએ તો ‘દિયા ઔર બાતી હમ 2’માં નવનીત મલિક અને આશિષ દીક્ષિત જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે. જો કે હાલમાં આ સમાચારની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જો આ શો નવા અંદાજમાં પ્રસારિત થાય છે, તો એવી આશા રાખવામાં આવે છે કે તેને ચાહકોનો તેટલો જ પ્રેમ મળી શકે છે.

આ શો થઈ શકે છે બંધ

રિપોર્ટ્સ અનુસાર જો ‘દિયા ઔર બાતી હમ 2’ ટેલિકાસ્ટ થાય છે. તો ટીવી શો ‘બાતેં કુછ અનકહી સી’ દૂર થઈ શકે છે. હાલમાં આ શોના મેકર્સ અને ટીમ તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે, આ સીરિયલ થોડાં સમય પહેલા ટેલિકાસ્ટ કરવામાં આવી છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો