Malaika Arora થી છૂટાછેડાનાં 4 વર્ષ પછી બોલ્યા અરબાઝ ખાન, કહ્યું- ઘણા લોકોએ ટ્રોલ કર્યો, પરંતુ એનાથી ફર્ક ન પડવો જોઈએ

|

Jul 22, 2021 | 2:45 PM

બોલિવૂડના પ્રખ્યાત કપલ ​​અરબાઝ ખાન (Arbaaz Khan) અને મલાઈકા અરોરા (Malaika Arora) વર્ષ 2017 માં અલગ થઈ ગયા હતા. મલાઇકા અને અરબાઝના છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા.

Malaika Arora થી છૂટાછેડાનાં 4 વર્ષ પછી બોલ્યા અરબાઝ ખાન, કહ્યું- ઘણા લોકોએ ટ્રોલ કર્યો, પરંતુ એનાથી ફર્ક ન પડવો જોઈએ
Arbaaz khan, Malaika arora

Follow us on

બોલિવૂડના પ્રખ્યાત કપલ ​​અરબાઝ ખાન (Arbaaz Khan) અને મલાઈકા અરોરા (Malaika Arora) વર્ષ 2017 માં અલગ થઈ ગયા હતા. મલાઇકા અને અરબાઝના છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા. ઘણી વખત સ્ટાર્સ તેમની પર્સનલ લાઇફ વિશે ટ્રોલ થતા હોય છે અને મલાઈકા અને અરબાઝ સાથે પણ આવું જ બન્યું હતું. છ વર્ષના છૂટાછેડા પછી હવે અરબાઝે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

એક ઇન્ટરવ્યુમાં અરબાઝ ખાને કહ્યું કે કદાચ ચાહકો અને ફોલોઅર્સને જે કપલ સારા લાગે છે તેઓ તેમને સાથે જોવા માંગે છે અને આમિર ખાન સાથે તાજેતરમાં પણ આવું બન્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે ખોટા લોકો છીએ. તેમણે કહ્યું કે મારા છૂટાછેડા સમયે મને ખોટી રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે દરમિયાન હું તેને ઈગ્નોર કરીને આગળ વધી ગયો હતો.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

નેગેટિવ કમેન્ટને કરવી જોઈએ ઈગ્નોર

અરબાઝે વધુમાં કહ્યું હતું કે આવી ઓનલાઇન નેગેટિવ કમેન્ટ ન તેમને પહેલાં અસર કરતી અને ન તો હવે. તે તેના તરફ વધારે ધ્યાન આપતા નથી.

અમે તમને જણાવી દઈએ કે અરબાઝ અને મલાઈકાએ વર્ષ 2017 માં તેમના 19 વર્ષના લગ્ન સમાપ્ત કર્યા હતા. એક વર્ષ અલગ રહ્યા પછી, તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. જેની માહિતી તેમણે આપી હતી. અરબાઝ અને મલાઇકાના છૂટાછેડા વિશે જાણ્યા પછી ચાહકો અને ઇન્ડસ્ટ્રીનાં લોકો ચોંકી ગયા હતા. તે દરમિયાન અરબાઝ અને મલાઈકાને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે મલાઇકા

છૂટાછેડા પછી અરબાઝ અને મલાઈકા બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે. મલાઇકા હાલમાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બધાને માહિતી આપી હતી. બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે. હવે અર્જુન અને મલાઈકા કોઈનાથી પોતાનો પ્રેમ છુપાવતા નથી. તે જ સમયે, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અરબાઝ મોડેલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટિંગ કરી રહ્યા છે.

Next Article