શાહરુખ- ગૌરી ખાને, પોતાના લાડલા આર્યનખાન માટે લીધો મોટો ફેંસલો ! જાણો જામીન પર છુટ્યા બાદ શું લીધો નિર્ણય ?

શાહરૂખ ખાન અને ગૌરી ખાન પુત્ર આર્યન ખાનને તેમના બંગલા મન્નતથી દૂર રહેવા મોકલી શકે છે. ડ્રગ્સના કેસ બાદ પરિવાર આ પગલું ભરી શકે છે.

શાહરુખ- ગૌરી ખાને, પોતાના લાડલા આર્યનખાન માટે લીધો મોટો ફેંસલો ! જાણો જામીન પર છુટ્યા બાદ શું લીધો નિર્ણય ?
Shahrukh and Gauri Khan to send away Aryan Khan
| Edited By: | Updated on: Nov 01, 2021 | 8:03 AM

મન્નતમાં(Mannat) ઘણા દિવસો પછી શાહરૂખ ખાન-ગૌરી ખાન (shahrukh- gauri) માટે ખુશીનો માહોલ છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાન (aryan khan) 25 દિવસ સુધી આર્થર રોડ જેલમાં બંધ રહ્યા બાદ ઘરે પરત ફર્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયા કિંગ ખાન અને તેના પરિવાર માટે ખૂબ જ થાક અને તણાવપૂર્ણ રહ્યા છે.

મન્નતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સન્નાટો છવાઈ ગયો હતો. એવું કહેવાય છે કે શાહરૂખ અને ગૌરીએ તેમના શુભચિંતકો અને મિત્રોને કહ્યું હતું કે જ્યાં સુધી આર્યનને જામીન પર છોડવામાં ન આવે ત્યાં સુધી મન્નતમાં ન આવવાની પણ અપીલ કરી હતી. હવે તેણે બધા માટે મન્નતના દરવાજા ફરીથી ખોલી દીધા છે.

હાલ તો મન્નતમાં ઉજવણીનો સમય આવી ગયો છે, જો કે, એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક ક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શાહરૂખ અને ગૌરી આર્યનને સુરક્ષિત રાખવા અને મીડિયાથી દૂર રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયા આર્યન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે અને તેઓ તેને રાહત આપવા માંગે છે.

આર્યન ખાન શરતી જામીન પર બહાર છે. આનો અર્થ એ થયો કે આર્યનને ભારત બહાર જવાની તો દૂરની વાત પરવાનગી વિના ગ્રેટર મુંબઈની બહાર જવાની પણ મંજૂરી નથી. આર્યને પોતાનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવાનો હતો. દિવાળીના તહેવાર પછી આર્યન મન્નતથી દૂર થઈ જશે. જાણીને આચંકો લાગ્યો ને? પરંતુ આર્યન હાલ અલીબાગના ફાર્મહાઉસમાં રહેશે.

શાહરૂખ ખાન અલીબાગમાં એક ભવ્ય મિલકત ધરાવે છે અને અભિનેતા ઈચ્છે છે કે આર્યન થોડો સમય ત્યાં રહે જેથી તે છેલ્લા કેટલાક દિવસોમાં તેના જીવનમાં બનેલી વસ્તુઓમાંથી બહાર નીકળી શકે. એક્ટર શાહરૂખ ઈચ્છે છે કે આર્યન થોડા સમય માટે દૂર રહે.

આ ઉપરાંત શાહરુખ ખાન ડિસેમ્બરમાં કામ પર પાછો ફરે તેવી શક્યતા છે. તેની પાસે સિદ્ધાર્થ આનંદની પઠાણ સાથે એટલીની ફિલ્મ પાઇપલાઇનમાં છે. સાથે જ સુહાના ખાન પણ ટૂંક સમયમાં મુંબઈમાં આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના આખા પરિવાર સાથે દિવાળી ઉજવશે.

આર્યનના ઘરે પાછા ફર્યા પછી તે બમણું સેલિબ્રેશન છે. દિવાળી પછી આખો પરિવાર આર્યન સાથે થોડા દિવસો માટે અલીબાગ જશે. જ્યારે શાહરૂખ ખાન તેની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ ફરી શરૂ કરશે. ત્યારે માતા ગૌરી અબરામ આર્યન સાથે રહેશે.

આ પણ વાંચો :Viral video : વરમાળા દરમિયાન વરરાજાએ દુલ્હનને જીતવા માટે કર્યું કંઈક આવું, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો

આ પણ વાંચો : G20 Summit : રોમમાં આયોજિત G20 શિખર સંમેલનનું સમાપન, 2022માં ઇન્ડોનેશિયા અને 2023માં ભારતમાં થશે આયોજન

Published On - 7:31 am, Mon, 1 November 21