TMKOC નાં ‘Roshan Singh Sodhi’ પહેલા હતા ફાર્માસિસ્ટ, આના કારણે તેમણે અભિનયની દુનિયામાં મૂક્યો પગ

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહે પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. પરંતુ અભિનય કરતા પહેલા તેમણે ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યું હતું.

TMKOC નાં Roshan Singh Sodhi પહેલા હતા ફાર્માસિસ્ટ, આના કારણે તેમણે અભિનયની દુનિયામાં મૂક્યો પગ
Gurucharan Singh
| Edited By: | Updated on: Apr 28, 2021 | 11:19 AM

ટીવીની દુનિયામાં લાંબા સમયથી ચાલતો ટેલિવિઝન કાર્યક્રમ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આજે પણ પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘જેઠાલાલ’ થી લઈને ‘ભીડે’, ‘તારક’, ‘ડોક્ટર હાથી’ અને શોના અન્ય તમામ પાત્રો પણ લોકોના દિલમાં વસેલા છે. આ શોના જ એક પાત્ર રોશનસિંહ સોઢી, ગુરુચરણ સિંહ પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. પરંતુ અભિનય કરતા પહેલા તેમણે એક ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યું હતું. આ વાતનો ખુલાસો તેમણે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પરનો એક બીટીએસનો વીડિયો ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં શોના તમામ કલાકારો તેમના અંગત જીવન વિશે વાત કરતા જોવા મળે છે. તે જ સમયે, જ્યારે ગુરુચરણ સિંહને પૂછવામાં આવ્યું કે તે વાસ્તવિક જીવનમાં અભિનેતા બનતા પહેલા શું કરતા હતા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે વાસ્તવિક જીવનમાં પ્રથમ ફાર્માસિસ્ટ હતા. આ સાથે તેમણે અભિનેતા બનવા પાછળના કારણ વિશે પણ વાત કરી.

ગુરુચરણ સિંહ કહ્યું કે, હું દિલ્હીનો રહેવાસી છું. હું વાસ્તવિક જીવનમાં ફાર્માસિસ્ટ હતો, આ સાથે હું મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરતો હતો. હું ડૉક્ટર પાસે જતો, દવાઓ વિશે કહેતો. પરંતુ જ્યારે હું મારા ભાઈઓ સાથે જતો અને મૂવીઝ જોતો હતો, ત્યારે મેં વિચાર્યું કે મારે તો બસ આજ કરવું છે. ”

 

ગુરુચરણ સિંહ તેમના ઇન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે, “તમે અભિનય કરતી વખતે બધુ કરી શકો છો. તમે ડૉક્ટર બની શકો છો, તમે પાઇલટ બની શકો છો, તમે જે ઇચ્છો તે કરી શકો છો. તમે વિલન પણ બની શકો છો. પરંતુ વાસ્તવિક જીવનમાં તમને જેલ થઈ શકે છે, પણ અહી નથી થઈ શકતી. ”

તમને જણાવી દઈએ કે ગુરુચરણ સિંહને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તેમની નટખટ સ્ટાઇલ માટે ખુબ જાણીતા હતા. તેમણે શોમાં એક એવી વ્યક્તિની ભૂમિકા ભજવી જેમને ‘પાર્ટી શાર્ટી’ અને ‘ખાવા-પીવાનો ખુબજ શોખ હોય.’ જોકે, ગુરુચરણ સિંહ વાસ્તવિક જીવનમાં એક શુદ્ધ શાકાહારી વ્યકિત હતા.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા ગુરુચરણ સિંહે જબરદસ્ત ઓળખ મેળવી. તેમણે 2013 માં શોને અલવિદા કહ્યું હતું. પરંતુ પ્રેક્ષકોની માંગને કારણે તેમને 2014 માં ફરીથી શોમાં લાવવામાં આવ્યા હતા. જો કે, તેમણે વર્ષ 2020 માં આ શો છોડી દીધો અને તેમની જગ્યાએ અભિનેતા બલવિંદર સિંહ સુરીને લીધા. તેમને તેમની કારકિર્દી દરમિયાન મોડેલિંગ કરી ચુક્યા છે.