‘રામલખન’ ફિલ્મને 32 વર્ષ પૂર્ણ, જેકી શ્રોફે અનિલ કપૂર વિશે ઘણી અજાણી વાતો કરી શેર

બરાબર 32 વર્ષ પહેલાં, જેકી શ્રોફ, અનિલ કપૂર, ડિમ્પલ કાપડિયા અને માધુરી દિક્ષિત સ્ટારર ફિલ્મ 'રામ લખન' વર્ષ 1989માં રિલીઝ થઈ હતી. ફિલ્મ 'રામ લખન' બે ભાઈઓની વાર્તા અને બંને વચ્ચેના વિચારના તફાવતને વર્ણવે છે.

રામલખન ફિલ્મને 32 વર્ષ પૂર્ણ, જેકી શ્રોફે અનિલ કપૂર વિશે ઘણી અજાણી વાતો કરી શેર
| Edited By: | Updated on: Jan 28, 2021 | 10:21 PM

બરાબર 32 વર્ષ પહેલાં, જેકી શ્રોફ, અનિલ કપૂર, ડિમ્પલ કાપડિયા અને માધુરી દિક્ષિત સ્ટારર ફિલ્મ ‘રામ લખન’ વર્ષ 1989માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘રામ લખન’ બે ભાઈઓની વાર્તા અને બંને વચ્ચેના વિચારના તફાવતને વર્ણવે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન, જેકી શ્રોફે ફિલ્મની સાથે સાથે અનિલ કપૂર વિશે ઘણી વાતો કરી હતી અને કહ્યું હતું કે તે મારા મોટાભાઈની જેમ છે અને તેણે હંમેશાં મને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.

 

જેકી શ્રોફ અને અનિલ કપૂરની ફિલ્મ રામ લખન આજે પણ જોવા મળે છે. આ ફિલ્મ દરેક અર્થમાં ઉત્તમ હતી અને સુભાષ ઘાઈના દિગ્દર્શને તેને એક અલગ જ જીવન આપ્યું હતું. 1989માં રજૂ થયેલ રામ લખને આજે 32 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ પ્રસંગે અભિનેતા જેકી શ્રોફે પોતાના દિલની વાત શેર કરી છે. તેણે કહ્યું, ‘અનિલ કપૂર સાથે કામ કરવું મારા માટે ખૂબ સરસ છે. અનિલ કપૂર જેકી શ્રોફ કરતા મોટા છે, પરંતુ ફિલ્મોમાં તે હંમેશા મોટાભાઈની ભૂમિકા ભજવતો હોય છે. તે હંમેશા મને મોટાભાઈની જેમ માર્ગદર્શન આપે છે. ‘

જેકી શ્રોફ આગળ કહે છે, ‘આ મારી કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં મસાલા, નાટક, કોમેડી અને ઘણી ભાવનાઓ છે. તેથી તેની સાથે મારો સંબંધ ખૂબ ખાસ રહ્યો છે. એક વાત સંભળાવતા તેમણે કહ્યું હતું કે, ઠંડી ખૂબ જ હોવાને કારણે રામ લખનનું શૂટિંગ ઘણી વખત અટકાવવું પડ્યું હતું. આવી સ્થિતિમાં સતત શૂટિંગ કરવું શક્ય નહોતું.

Follow Us
Loading...
Unable to load recommendations.