
સાઉથની અભિનેત્રી નયનતારાએ હાલમાં જ ફિલ્મ જવાનમાં કામ કર્યું હતું. આ દરમિયાન તે લીડ રોલમાં જોવા મળી હતી. નયનતારાએ પ્રથમ વખત સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે અભિનય કર્યો હતો અને તેની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ સફળ પણ રહી હતી અને ચાહકોને ખૂબ પસંદ આવી હતી.પરંતુ પછી એવું શું થયું કે નયનતારા ફિલ્મના ડાયરેક્ટર એટલીથી નાખુશ છે. નવીનતમ અહેવાલો અનુસાર, નયનતારાને ફિલ્મમાં તેના પાત્રની લેંથ સામે વાંધો છે.
અહેવાલો અનુસાર, નયનતારાનું માનવું છે કે આ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હતી પરંતુ તેમ છતાં તેનો રોલ દીપિકા પાદુકોણના રોલ કરતા ઓછો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા કેમિયો રોલમાં હતી પરંતુ તેનો રોલ મોટો હોવાનું જણાય છે. નયનતારા આનાથી નાખુશ છે અને નજીકના ભવિષ્યમાં બોલિવૂડની કોઈ ફિલ્મ સાઈન કરવા માંગતી નથી.
તમને જણાવી દઈએ કે નયનતારા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને સૂત્રોના હવાલાથી જ આ વાત સામે આવી છે. કારણ કે 21 સપ્ટેમ્બર 2023ના રોજ જવાન ફિલ્મ ડાયરેક્ટર એટલીના જન્મદિવસ પર નયનતારાએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને તેમની પ્રશંસા પણ કરી હતી. તેથી, બાબત ગમે તે હોય, ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હશે કે નયનતારા અને એટલા વચ્ચેનો તણાવ બહુ ગંભીર નથી.
જો કે આ બધાની વચ્ચે નયનતારા આગામી બોલિવુડ ફિલ્મો કરશે કે કેમ એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પણ એ પહેલા અનેક ચર્ચાઓના કારણે અભિનેત્રીના ફેન્સ ચિંતીત છે.
ફિલ્મ જવાન વિશે વાત કરીએ તો, આ ફિલ્મે અજાયબીઓ કરી છે અને રૂ. 500 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મ વિશ્વભરમાં પણ ઘણી કમાણી કરી રહી છે અને ટૂંક સમયમાં 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે. હવે જોવાનું એ રહે છે કે ફિલ્મ કેટલી ઝડપથી આ સ્થાને પહોંચે છે. જવાન સાથે શાહરૂખ ખાનની બે ફિલ્મોએ 500 કરોડની કમાણી કરી છે. તેની ફિલ્મ ડંકી પણ આ વર્ષે રિલીઝ થવાની છે.
Published On - 8:59 am, Fri, 22 September 23