મનોજ જોશી પર મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ, કોવિડ -19 સમયે કરી આવી ટ્વીટ

|

Apr 19, 2021 | 1:19 PM

કોરોનાના આ સમયમાં ગુજરાતી અભિનેતા મનોજ જોશીએ એક ટ્વિટ કરી હતી. જેને લઈને વિવાદ ખુબ વધી ગયો. યુઝર્સે પણ તેમને ટ્રોલ કરવામાં કંઈ બાકી ના રાખ્યું.

મનોજ જોશી પર મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ, કોવિડ -19 સમયે કરી આવી ટ્વીટ
મનોજ જોશી

Follow us on

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ગુજરાતના ખ્યાતનામ કલાકાર મનોજ જોશી પર મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના યુઝર્સ દ્વારા તેમના એક ટ્વિટ પર આ આરોપ લાગાવવામાં આવ્યો છે. હકીકતમાં 55 વર્ષીય મનોજ જોશીએ રવિવારે કોવિડ -19 નો સંદર્ભ ટ્વીટ કરી હતી. પોતાની ટ્વિટમાં તેમણે કથિત રીતે મુસ્લિમોને નિશાન બનાવ્યા હતા. જેના કારણે હવે હંગામો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર મનોજ જોશી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે. અને તેમને ઘણા ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે.

મનોજ જોશીએ તેમના ટ્વિટર હેન્ડલ પર વન લાઈનર લાખી હતી. મનોજ જોશીએ લખ્યું – “જે લોકો ઘરે ઘરેથી અફઝલ નીકાળી રહ્યા હતા, ત્યાંથી ક્યારેય ડોકટરો બહાર નીકાળશે શું ?” મનોજ જોશીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોવિડ -19 સાથે આખો દેશ સંઘર્ષ કરી રહ્યો છે. અભિનેતાનું આ ટ્વિટ થોડા કલાકોમાં વાઇરલ થઈ ગયું, ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમના પર મુસ્લિમો સામે નફરત ફેલાવવાનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મનોજ જોશી ટ્વિટ

મનોજ જોશીના આ ટ્વિટ પર હવે યુઝર્સ વિવિધ પ્રકારના જવાબો આપી રહ્યા છે. એકે લખ્યું – પણ વિનય ત્રિવેદી ચોક્કસપણે બનાવટી દવા બનાવવા માટે નીકળી રહ્યો છે.

https://twitter.com/suman_tadamoksh/status/1383699680089894922

તે જ સમયે, પ્રદીપ નામના વપરાશકર્તા લખે છે – શપથ લો કે જો તમારા પરિવારમાં કોઈ કોવિડનો ભોગ બને છે, તો તમે ક્યારેય સિપ્લામાં બનેલી રેમડેસિવિર નહીં લો. તમને જણાવી દઈએ કે આ વપરાશકર્તાએ સિપ્લાનું નામ લીધું કારણ કે સિપ્લાના માલિકનું નામ ખ્વાજા અબ્દુલ હમીદ છે, જે મુસ્લિમ સમુદાયના છે. આ કોમેન્ટ દ્વારા તેણે મનોજ જોશીને કટાક્ષમાં જવાબ આપ્યો હતો.

એક યુઝરે લખ્યું કે જો આ આપદામાં પણ તમે નફરત અને સંપ્રદાયની વાતો કરો છો તો તમે માણસ નથી .

કોઈએ ભારે કટાક્ષ કરતા હેર ફેરીના પાત્રને યાદ કરતા કહ્યું કે કચરા સેઠ જ રહેશો.

તો એક યુઝરે લખી દીધું કે હિંદુ મુસ્લિમ કરવા માટે આખી જીંદગી મળશે. ત્યારે આરામથી કરી લેજો. ક્યારેક તો દેશની સ્થિતિઓનું મુક્યાંકન કરીને બોલો.

 

આ પણ વાંચો: પિયુષ ગોયલે કહ્યું કોરોનાના સંકટ સમયે PM મોદી કરે છે આટલા કલાક કામ, અને સરકાર દિવસ-રાત કરે છે કામ

આ પણ વાંચો: આ વખતે વૃદ્ધો કરતા યુવાનો પર કોરોનાનું જોખમ વધુ, જાણો સંક્રમણના લક્ષણો વિશે નિષ્ણાંતો શું કહે છે

Next Article