અફઘાની લડાકુઓ શીખોને સમર્પણ કરીને તાબે થઈ જવાનું કહે છે પણ શીખોની આ ટુકડી તેના આ આમંત્રણને ઠુકરાવી દે છે. ટુકડીના ઈન્ચાર્જ ઈશરસિંહ કેટલાંક સૈનિકોની સાથે મોર્ચો સંભાળે છે અને બીજા બધા સૈનિકોને કિલ્લાની અંદર જ રહેવાનું સૂચન કરે છે. કેટલીય કલાક અફઘાની 10 હજાર લડાકુઓની ફોજ સાથે મુકાબલો કરવાની સાથે અંતે ઈશરસિંહ શહીદ થઈ જાય છે.
આ બાદ અફઘાની લડાકુઓની ફોજ આગ લગાડીને કિલ્લાની અંદર દાખલ થઈ જાય છે અને ત્યાં સુધી કિલ્લામાં માત્ર પાંચ જ સૈનિકો બચ્યાં હોય છે. પાંચ સૈનિકોએ પોતાની લડાઈ વીરતાપૂર્વક લડીને કેટલાંય અફધાનોનો ખુરદો બોલાવી દીધો. બાદમાં લડતાં-લડતાં આ ચાર સૈનિકો પણ શહીદ થઈ જાય છે.
બપોરના સાડા ત્રણ વાગ્યે છેલ્લાં સૈનિક સારાગઢી ટાવરમાંથી સંદેશો મોકલીને લડાઈમાં સામિલ થવાની પરવાનગી માગે છે. 19 વર્ષના ગુરુમુખસિંહની આ ટુકડીમાં મોટેભાગે નવયુવાન સૈનિકો હતા. તેઓ બધા પોતાના હથિયારો લઈને કિલ્લામાંથી નીચે ઉતરી આવે છે. ગુરુમુખસિંહ એકલા જ લડતાં લડતાં 20 જેટલાં દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દે છે. આ જંગમાં દુશ્મનને શીખ સૈનિકો જે ફટકો આપે છે તેના લીધે તેની સેના થાકી જાય છે. બીજા દિવસે અંગ્રેજો પોતાની ફોજ સાથે ત્યાં પહોંચી જાય છે અને ફરી ધમાસાન યુધ્ધ શરુ થાય છે. સારાગઢી કિલ્લામાં આ સમયે 21 જવાનો શહીદ થઈ જાય છે જ્યારે દુશ્મનોના 600 લડાકુઓના તે કાપી નાખે છે.
આ ઘટના બાદ બ્રિટીશની સંસદમાં આ તમામ 21 શીખ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને પરમવિર ચક્ર જેટલું જ મહત્ત્વ ધરાવતો ખિતાબ વિક્ટોરિયા ક્રોસ 36 શીખ રેજિમેન્ટના 21 જવાનોને આપવામાં આવે છે. આ વીરતાપૂર્ણ ઘટનાની યાદમાં હાલમાં પણ ભારતીય સેનાની શીખ રેજિમેન્ટ 12 સપ્ટેમ્બરના દિવસે ‘સારાગઢી દિવસ’ની ઉજવણી કરે છે અને શહીદોને યાદ કરે છે.
[yop_poll id=1750]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]