કરવા ચોથનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે. મહિલાઓ પતિના દિધાર્યુ માટે કરવા ચોથનું વ્રત રાખે છે. બોલિવુડની અનેક એકટ્રેસિસ પણ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. અનિલ કપૂરના ઘરે શિલ્પા શેટ્ટી, નીલમ, પદ્મિની કોલ્હાપુરી અને રવિના ટંડને કરવા ચોથની પૂજા કરી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બોલિવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીએ કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું. શિલ્પા કરવા ચોથની પૂજા કરવા માટે અનિલ કપૂરના ઘરે ગઇ હતી. શિલ્પા શેટ્ટીએ અભિનેત્રીઓ સાથે કરવા ચોથની પૂજા કરી. શિલ્પાએ પૂજા કરતો વીડિયો શૅર કર્યો છે. જેમાં લખ્યું છેકે, “કે.સી. ગેંગ સાથે કરવા ચોથની પૂજા, સુનીત કપૂર તમારો આભાર.”
કરવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથીએ રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ, મા ગૌરી અને ચંદ્રમાની ઉપાસના કરવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો