બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ હાલમાં જ બિઝનેસમેન વૈભવ રેખી સાથે સંબંધ બાંધ્યો છે. દીયા અને વૈભવના લગ્ન ખાસ રીતે થયા છે. દિયા અને વૈભવના કેટલાક ખાસ મિત્રો અને પરિવારજનો લગ્નમાં જોડાયા હતા. જ્યાં અભિનેત્રીએ તેમના લગ્નથી સંબંધિત અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમના લગ્નના ચિત્રો પછી, એક બીજી વાત ચર્ચામાં રહી છે અને તે છે તેમનું મંગલસૂત્ર.
તાજેતરમાં જ અભિનેત્રી દિયા મિર્ઝાને તેના લગ્ન બાદ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં અભિનેત્રી બ્લુ કુર્તામાં જોવા મળી હતી. આ સમય દરમિયાન, દરેકની નજર તેમના સુંદર મંગલસૂત્ર પર હતી. અભિનેત્રીએ ખૂબ જ સુંદર મંગળસૂત્ર પહેર્યું હતું. તમને જણાવી દઇએ કે, આ મંગલસૂત્ર એટલુ નાનુ હતુ કે નિહાળનારા જોતા જ રહી ગયા. આ મંગલસુત્રની અંદર એક હીરો છે. જેના કારણે તેને પહેરવું ખૂબ આરામદાયક છે. અભિનેત્રીનું આ મંગલસૂત્ર ખૂબ જ શાનદાર અને અલગ છે, જેની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. જ્યાં દીયાના ચાહકો મંગલસુત્રના વખાણ કરતા પોતાને રોકી ન શકયા. તે જ સમયે, દીયાએ તેમની એક સેલ્ફી પણ શેર કરી હતી, જેમાં આ મંગલસૂત્ર જોવા મળ્યું હતું.
આ બંનેના બીજા લગ્ન છે. આ વખતે અભિનેત્રીના લગ્નમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી હતી. તેમણે પરંપરાઓનો ભંગ કરીને પરિવર્તનનું નવું ઉદાહરણ સ્થાપ્યું. તેના લગ્નમાં પણ પંડિત પુરુષની જગ્યાએ સ્ત્રી હતી. જેના કારણે તેમના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. ફંક્શનમાં ફક્ત ફેમિલી અને ખૂબ જ નજીકના લોકો શામેલ હતા. દીયા કહે છે કે તેને એક ઉત્તમ જીવનસાથી મળી ગયો છે. આ પ્રસંગે વૈભવની એક્સ વાઇફ સુનૈના રેખીએ પણ નવા લગ્ન કરેલા દંપતીના લગ્નની શુભેચ્છા પાઠવી છે.