KBC 13: દીપિકા પાદુકોણ અને ફરાહ ખાને જીત્યા 25 લાખ રૂપિયા, શું તમને આવડે છે આ સવાલનો જવાબ?

|

Sep 11, 2021 | 8:32 AM

કૌન બનેગા કરોડપતિ 13 ના ગણેશ ચતુર્થી સ્પેશિયલ એપિસોડમાં ફરાહ ખાન અને દીપિકા પાદુકોણ શોમાં આવ્યા હતા. તે 25 લાખ રૂપિયા જીતીને શોમાંથી નીકળી ગયા.

KBC 13: દીપિકા પાદુકોણ અને ફરાહ ખાને જીત્યા 25 લાખ રૂપિયા, શું તમને આવડે છે આ સવાલનો જવાબ?
deepika padukone farah khan won 25 lakhs rupees from the amitabh bachchan show kaun banega crorepati 13

Follow us on

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 13 માં (Kaun Banega Crorepati 13) શુક્રવારે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતમાં શાનદાર શુક્રવારમાં, બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan) હોટ સીટ પર હતા. દીપિકા અને ફરાહની સાથે, શોની શરૂઆત ઇન્ડિયન આઇડોલ 12 ના ટોપ 6 ફાઇનલિસ્ટે પણ કરી હતી. દીપિકા અને ફરાહ શોમાંથી લાખીઓ રૂપિયા જીતીને ગયા હતા.

કૌન બનેગા કરોડપતિના શાનદાર શુક્રવારમાં દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન જીતેલ રકમ સાથે એક ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે. દીપિકાએ જીતેલી રકમ ‘ધ લાઇવ લવ લાફ ફાઉન્ડેશન’ (The Live Love Laugh Foundation) ને ફરાહ ‘આયંશ મદન’ની (Ayansh Mandan)સારવાર માટે દાનમાં આપશે.

25 લાખ રૂપિયા જીત્યા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફરાહ ખાન અને દીપિકા પાદુકોણ 25 લાખ રૂપિયા જીતીને કૌન બનેગા કરોડપતિમાંથી ગયા. અમિતાભ બચ્ચને 25 લાખ રૂપિયા માટે જે પ્રશ્ન પૂછ્યો. તે પ્રશ્ન નીચે મુજબ હતો,

ફેબ્રુઆરી 2020 માં, સૌથી વધુ ભાષાઓમાં ફિલ્મ એડિટ કરવામાટે નીચેમાથી કયા એડિટરનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે?

A.) એ શ્રીકર પ્રસાદ, B.) બીલેનિન, C.) N. B. શ્રીકાંત, D.) રેણુ સલુજા

આ સવાલનો સાચો જવાબ એ. શ્રીકર પ્રસાદ છે.

ફરાહ ખાન અને દીપિકા પાદુકોણે કરી મસ્તી

ફરાહ ખાન અને દીપિકા પાદુકોણે સાથે કામ કર્યું છે. દીપિકા પાદુકોણે ફરાહની ઓમ શાંતિ ઓમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંનેએ શોમાં ઘણી જૂની યાદો તાજા કરી. દીપિકા અને ફરાહે અમિતાભ સાથે ખૂબ મસ્તી કરી હતી.

અમિતાભ બચ્ચને ખોલી દીપિકાની પોલ

અમિતાભ બચ્ચને દર્શકોને દીપિકા પાદુકોણના આહાર વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે સામાન્ય માણસ સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખત ખાય છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. અમે તમને કહેવા માંગીએ છીએ કે અમે અનુભવી છીએ, કે દીપિકા દર ત્રણ મિનિટે ખોરાક લે છે. તે પછી દીપિકા હસવા લાગે છે અને અમિતાભ કહે છે કે આ સાચી વાત છે.

અમિતાભ બચ્ચને કહ્યું કે દર ત્રણ મિનિટે એક માણસ દીપિકા પાસે આવે છે. તે એક વાટકીમાં કંઈક લાવે છે અને બસ દીપિકા ખાવાનું શરુ કરી દે છે. આના પર દીપિકા કહે છે આ બિલકુલ સત્ય નથી અમિત જી.

 

આ પણ વાંચો: જાણો કઈ રીતે ભારતી સિંહે ઉતાર્યું 15 કિલો વજન, તમે પણ અપનાવો આ ડાયટ પ્લાન અને જુઓ ચમત્કાર

આ પણ વાંચો: બાપ રે..! Bhool Bhulaiyaa 2 ના સેટ પર કાર્તિક આર્યનના ગળામાંથી અવાજ નીકળતો થઈ ગયો બંધ, સૌ ચિંતામાં

Next Article