77મો સ્વતંત્રતા દિવસ તમામ દેશવાસીઓ તેમજ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર માટે ખૂબ જ ખુશીઓ લઈને આવ્યો છે. આ ખાસ દિવસે અક્ષય કુમારે કહ્યું કે, તેને ભારતની નાગરિકતા મળી ગઈ છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર ગૃહ મંત્રાલયની એક ફાઇલની તસવીર શેર કરી છે, જેમાં તેને નાગરિકતા આપવા સંબંધિત કાગળો દેખાય છે.
આ પણ વાંચો : Akshay Kumar : અક્ષય કુમાર નીકળ્યા ચારધામ યાત્રાએ, કેદારનાથ બાદ આજે બદ્રીનાથની લીધી મુલાકાત
નોંધપાત્ર વાત એ છે કે, લગભગ 33 વર્ષ પહેલા 1990માં અક્ષય કુમારે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી અને કેનેડાનો નાગરિક બન્યો હતો. તે સમયે તેની ફિલ્મો અહીં ચાલતી ન હતી અને કામના કારણે તે કેનેડામાં સ્થાયી થવા માંગતો હતો. જો કે, પાછળથી તેની કરિયર શરૂ થઈ અને પછી તેણે કેનેડા જવાનો નિર્ણય મોકૂફ રાખ્યો.
ઈન્ટરવ્યુમાં કેનેડાની નાગરિકતાની કરી હતી વાત
અક્ષય કુમારે પોતે થોડાં સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં કેનેડાની નાગરિકતા લેવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે મારી ફિલ્મો સારી નથી ચાલી રહી ત્યારે તેણે વિચાર્યું હતું કે તે બીજે જઈને કામ કરશે. ત્યાં મારો એક મિત્ર હતો, તે કહેતો હતો કે અહીં આવો. મને લાગ્યું કે મારું નસીબ અહીં કામ નથી કરતું તેથી હું ત્યાં ગયો.
અક્ષયે કહ્યું હતું કે, તે સમયે તેણે ત્યાંની નાગરિકતા માટે અરજી કરી હતી અને તે મળી ગઈ હતી. તેણે કહ્યું હતું કે તે પછી વધુ ફિલ્મો ચાલી. પછી મેં કહ્યું કે હું અહીં જ રહીશ, ફરી ક્યારેય વિચાર્યું નથી.
અક્ષય કુમારને લાંબા સમયથી નાગરિકતા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે. ઘણી વખત તેને કેનેડા કુમાર કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવે છે. અક્ષયે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે 2019માં જ ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે અને તે ટૂંક સમયમાં મળી જશે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:27 pm, Tue, 15 August 23