Throwback : જ્યારે અંકિતા વિના નહોતા રહેવા માંગતા સુશાંત, જણાવ્યુ હતું- કેવી રીતે લગ્ન કરવાનાં છે તેઓ…

|

Jul 25, 2021 | 5:51 PM

સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) એક ઇન્ટરવ્યુમાં ખુલ્લીને તેમના અને અંકિતાના સંબંધો વિશે વાત કરી હતી. અભિનેતાએ તેના લગ્ન અંગે પણ ખુલાસો કર્યો હતો

ચાહકોના દિલ પર રાજ કરનાર સુશાંત સિંહ રાજપૂતનાં અવસાનને હવે એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. સુશાંતના મોત મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સુશાંતના ચાહકો ઘણી વાર તેમના સોશિયલ મીડિયા પર જુના વીડિયો અને ફોટો શેર કરીને યાદ કરે છે. આવી સ્થિતિમાં હવે સુશાંતનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે દરેક બાબતમાં ખુલીને વાત કરતા જોવા મળે છે.

સુશાંતનો આ વીડિયો એક ઇન્ટરવ્યૂ છે. આ ઇન્ટરવ્યૂમાં છીછોરે અભિનેતાએ તેમના અભિનયથી લઈને લગ્ન વિશે ખુલ્લીને બોલ્યા હતા. સુશાંતના આ ઇન્ટરવ્યુનો વીડિયો ફેન્સમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.

નાના પડદા પર વિચારીને કરી હતી એન્ટ્રી

અભિનેતાએ કહ્યું હતું કે જ્યારે તેમણે ડાન્સ કરવાનું શરૂ કર્યું, ત્યારે જે રીતે પ્રેક્ષકો સાથે જોડાયા હતા, ત્યારે તેમને લાગ્યું હતું કે તેઓ એક અભિનેતા બનશે. આટલું જ નહીં, અભિનેતાએ કહ્યું હતું કે તે મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવે છે, જ્યાં તે ચાર બહેનોમાંના નાના છે, હું એક પ્રોટેક્ટિવ પરિવારમાંથી આવ્યો છું. આવી સ્થિતિમાં, તેમના પરિવારે અભ્યાસ કર્યા પછી સૈટલ થવું યોગ્ય માન્યું હતું.

આટલું જ નહીં, અભિનેતાએ વાતચીતમાં કહ્યું હતું કે તેમણે સોચી સમજીને બોલીવુડને બદલે પહેલા ટીવીમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેતાએ કહ્યું હતું કે જ્યારે તેમને બાલાજીના ટીવી શોની ઓફર મળી ત્યારે તેણે તરત જ હા પાડી દિધી હતી.

 

સુશાંતે લગ્ન વિશે કહી હતી એક ખાસ વાત

સુશાંતે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમના વિના રહેવું મુશ્કેલ છે. અભિનેતાએ કહ્યું હતું કે, છેલ્લા સાડા છ વર્ષથી અંકિતા તેમની સાથે છે અને તે ખૂબ જ ધૈર્યવાન છે અને ખૂબ પ્રેમાળ રહી છે. આટલું જ નહીં સુશાંતે કહ્યું હતું કે હું તેમના વિના રહી શકતો નથી. આટલું જ નહીં, અભિનેતાએ કહ્યું હતું કે ભાવનાત્મક રૂપે અસુરક્ષિત રહેવા વાળો વ્યકિત છું અને હું હવે તેમની સાથે રહેવા માંગું છું.

આટલું જ નહીં સુશાંતે વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે પણ તેમને અંકિતાના લગ્ન વિશે પૂછવામાં આવે છે ત્યારે તે હંમેશાં ખુલ્લેઆમ બોલે છે. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે, ‘મેં ખૂબજ આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે હું આવતા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યો છું, પણ હું ખૂબ ડરેલો છું કારણ કે મેં હજી અંકિતાને પૂછ્યું નથી. આટલું જ નહીં, સુશાંતે એમ પણ કહ્યું હતું કે અંકિતા ભવ્ય લગ્નની ઇચ્છા રાખે છે, અને તેઓ ટૂંક સમયમાં તેની તૈયારીઓ શરૂ કરવા માટે બચત કરવાનું શરૂ કરી દેશે.

Next Video