TV9 GUJARATI | Edited By: Hiren Buddhdev
Oct 10, 2021 | 10:04 PM
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું હતું, અભિનેતા તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. હવે સુશાંતના ચાહકોએ તાજેતરમાં શાહરૂખ ખાનના ઘરની બહાર વિરોધ કર્યો છે.
તાજેતરમાં જ કેટલીક તસ્વીરો સામે આવી છે, જેમાં સુશાંતના ચાહકો શાહરુખના ઘર મન્નત બહાર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.
એટલું જ નહીં, સુશાંતના ચાહકો તેમના ફોટા સાથે દેખાયા છે.
તાજેતરમાં સુશાંત કેસમાં તપાસ કરી રહેલી NCB એ શાહરુખ ખાનના પુત્રની ધરપકડ કરી છે.
સુશાંત સિંહના મૃત્યુ બાદથી NCB સતત બોલિવૂડ સ્ટાર્સને તેમાં આસક્ત જોઈ રહી છે.
અભિનેતાના મૃત્યુ પછી, બહાર આવ્યું કે તેમને ડ્ર્ગ્સ આપવામાં આવી રહ્યું હતું, આ મામલાની તપાસ હજી ચાલુ છે.