Mumbai: રેમડેસિવિર મામલે Sonu Soodએ હાઈકોર્ટમાં આપ્યો આ જવાબ

|

Jun 30, 2021 | 6:59 PM

કોર્ટે રાજ્ય સરકારને સોનુ સૂદ અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની (Zeeshan Siddique) તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, મંગળવારે બોમ્બે હાઈકોર્ટે સોનુ સૂદની અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

Mumbai: રેમડેસિવિર મામલે Sonu Soodએ હાઈકોર્ટમાં આપ્યો આ જવાબ
Sonu Sood

Follow us on

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ જ્યાં એક તરફ બીમાર અને પરેશાન લોકોની મદદ કરી રહ્યા છે. બીજી તરફ તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં સોનુ સૂદે ઘણા દર્દીઓને ઓક્સિજન અને જીવન રક્ષક રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ જેવી દવાઓ પૂરી પાડી છે, પરંતુ આ દવાઓ પૂરી પાડવા બદલ બોમ્બે હાઈકોર્ટે અભિનેતા પર સવાલ ઉભા કર્યા છે.

 

જેના માટે કોર્ટે રાજ્ય સરકારને સોનુ સૂદ અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની (Zeeshan Siddique) તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, મંગળવારે બોમ્બે હાઈકોર્ટે સોનુ સૂદની અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. અભિનેતાએ પોતે કોર્ટને આ અરજી પર દખલ કરવાની અપીલ કરી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગનારા લોકોને સોનુ સૂદે ખોટી રીતે રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ ઈન્જેકશન વિતરિત કર્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

મંગળવારે મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે આ અરજીની સુનાવણી કરી હતી. જેમાં સોનુના વકીલ મિલન દેસાઈએ જણાવ્યું હતું કે અભિનેતાએ કેસની સુનાવણીમાં હસ્તક્ષેપ માટે અરજી કરી છે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ આ અરજીની સુનાવણી કરશે. એક સમાચાર મુજબ સોનુ સૂદે પોતાની અરજીમાં કહ્યું છે કે તેઓ રોગચાળાની શરૂઆતથી જ જરૂરતમંદો માટે કામ કરી રહ્યા છે. તેમણે તેમને જુહુ સ્થિત હોટેલમાં ડોકટરો અને હેલ્થ વર્કર્સને મફતમાં નિઃશુલ્ક રહેવાની સવલત આપી.

 

અભિનેતાએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે લોકડાઉન દરમિયાન દરરોજ 45 હજાર લોકોને ભોજન આપવામાં આવતું હતું. રાજ્ય સરકારો અને અધિકારીઓ પાસેથી પોતાના ખર્ચે 20 હજારથી વધુ સ્થળાંતરીઓને મફત પરિવહન પ્રદાન કર્યું છે, જેથી તેઓ તેમના ઘરે જઈ શકે. રોગચાળા દરમિયાન લોકડાઉનમાં કામ કરનારા સોનુ સૂદની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી અને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ દ્વારા તેમને પ્રતિષ્ઠિત એસડીજી સ્પેશિયલ હ્યૂમૈનિટેરિયન એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

સોનુ સૂદે તેમની અરજીમાં વધુમાં કહ્યું છે કે જ્યારે એપ્રિલ 2021માં બીજી લહેર આવી ત્યારે લોકો જીવન રક્ષક દવાઓ માટે અહીં અને ત્યાં દોડી રહ્યા હતા. મને લાગ્યું કે સંકલનના અભાવે જરૂરીયાતમંદ દર્દીઓને દવાઓ મળી રહી નથી. આવી સ્થિતિમાં અભિનેતાએ નિર્ણય કર્યો કે તે જરૂરિયાતમંદ લોકો અને તે સ્થાનનો સંપર્ક કરે જ્યાં દવાઓ ઉપલબ્ધ હોય, જેથી તે સ્થાનથી લોકોને સીધી દવાઓ પ્રદાન કરી શકાય.

 

દવાઓ લેવાની બે તબક્કાની પ્રક્રિયા હતી. જેમાં દર્દીઓને આધારકાર્ડ, કોવિડ રિપોર્ટ, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન જેવા દસ્તાવેજો રજૂ કરવા અને હોસ્પિટલોનો સંપર્ક કરીને પુષ્ટિ કરવામાં આવતી હતી. માત્ર ત્યારે જ તેઓ યોગ્ય દવાથી સંતુષ્ટ થયા પછી તેમના ચેનલ્સ દ્વારા તે ઉલ્લેખિત દવાઓની ઉપલબ્ધતા અને તેમની લોકેશનને શોધવાની કોશિશ કરતા હતા. અભિનેતાએ ક્યારેય ધંધા માટે દવાઓ નથી ખરીદી. તેમણે દર્દીઓને ફક્ત ફાર્મસી જવાનો રસ્તો બતાવ્યો જ્યાં દવા મળી શકે.

 

Next Article