દયાભાભી પછી આ પાત્ર પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલને અલવિદા કહી શકે છે

કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે. સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને […]

દયાભાભી પછી આ પાત્ર પણ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલને અલવિદા કહી શકે છે
| Updated on: Mar 26, 2019 | 11:56 AM

કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે.

સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને રિયલ લાઈફમાં પણ તેમના ભાઈ છે. શોના પ્રોડયૂસર અસિત મોદીએ દિશા વાકાંણીની સાથે કરેલા ખરાબ વર્તનથી મયૂર વાકાંણી પરેશાન છે અને તેના લીધે જ મયૂર વાકાંણી પણ આ શો છોડી શકે છે.

TV9 Gujarati

 

પ્રોડયૂસરે દિશા વાકાંણીને 30 દિવસનો સમય આપ્યો છે. તેમને કહ્યું કે 30 દિવસની અંદર નક્કી કરે કે તે સિરીયલમાં પાછા ફરવા માગે છે કે નહી. જો તે આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું પણ તે 1 મહિનાની અંદર સિરીયલમાં પાછા નહી ફરે તો તેમની જગ્યાએ બીજા કોઈની સિરીયલમાં એન્ટ્રી કરાવવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]