TV9 GUJARATI | Edited By: Hiren Buddhdev
Nov 02, 2021 | 7:38 PM
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન થોડા દિવસ પહેલા ડ્રગ્સના કેસમાં જેલમાંથી જામીન પર બહાર આવ્યો છે.
આર્યનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી અને તેણે 25 દિવસ જેલમાં વિતાવ્યા હતા. આ પછી આર્યન 30 ઓક્ટોબરે ઘરે આવ્યો હતો.
આર્યન જેલમાંથી ઘરે આવ્યા બાદ મન્નતને સજાવામાં આવી હતી. આર્યનના આગમનથી દરેક લોકો ખૂબ જ ખુશ છે.
સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ દિવાળી પછી થોડા દિવસો માટે અલીબાગ જશે જેથી આર્યન પોતાનું મન ડાયવર્ટ કરી શકે.
હવે આર્યન ઘરે આવ્યા પછી એક પગલું ભર્યું છે. વાસ્તવમાં, આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પ્રોફાઇલ ફોટો ડિલીટ કરી દીધો છે.
સાથે જ શાહરૂખ અને ગૌરીએ આર્યન માટે ખાસ બોડીગાર્ડ રાખવાનો પ્લાન પણ બનાવ્યો છે જેથી આર્યન સુરક્ષિત રહે.