Birthday Special: માત્ર 2 શર્ટમાં જ નસીરુદ્દીન શાહે પૂરું કરી દીધું હતું આ ફિલ્મનું શૂટિંગ, જાણો કારણ

નસીરુદ્દીન શાહનો જન્મ 20 જુલાઈ 1950 ના રોજ UP ના બારાબંકી જિલ્લામાં થયો હતો. આજે તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ કેટલીક રસપ્રદ વાતો.

Birthday Special: માત્ર 2 શર્ટમાં જ નસીરુદ્દીન શાહે પૂરું કરી દીધું હતું આ ફિલ્મનું શૂટિંગ, જાણો કારણ
Naseeruddin Shah had completed the shooting of the film Katha in just 2 shirts
| Edited By: | Updated on: Jul 20, 2021 | 7:29 AM

બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) ભારતીય સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાઓમાંની એક છે. જેમણે છેલ્લા 5 દાયકાથી બોલિવૂડમાં (Bollywood) એક પછી એક હીટ ફિલ્મો આપી છે. આજે પણ, કોઈ મોટા અભિનેતા આ અભિનેતાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ નથી, જેના કારણે તેમનું નામ ઇન્ડસ્ટ્રીમાં માનભેર લેવાય છે. નસીરુદ્દીન શાહનો જન્મ 20 જુલાઈ 1950 ના રોજ UP ના બારાબંકી જિલ્લામાં થયો હતો. આજે તેમનો જન્મદિવસ છે.

બોલીવૂડમાં એન્ટ્રી

નસીરુદ્દીન શાહે 1975 માં આવેલી ફિલ્મ ‘નિશાંત’ (Nishant) દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી. અભિનેતાએ પોતાના શ્રેષ્ઠ અભિનયથી લોકોની બોલાતી બંધ કરી દીધી. આ સમયે નસીરે એક ફિલ્મ કરી હતી ‘કથા’ (Katha). આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહની (Naseeruddin Shah) સરળ શૈલી જોવા મળી હતી. ફિલ્મમાં તેમની સાથે ફારૂક શેખ અને દિપ્તી નવલ હતા. કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં જ્યાં ફિલ્મની આખી કાસ્ટને અનેક કપડાં પહેરવા અપાયા હતા. ત્યાં નસીરુદ્દીન શાહના પાત્રને આખી ફિલ્મમાં માત્ર 2 સફેદ શર્ટ જ આપવામાં આવ્યા હતા. જેને પહેરીને તેણે આખી ફિલ્મનું શૂટિંગ કર્યું.

માત્ર 2 શર્ટમાં પૂરી કરી ફિલ્મ

નસીરુદ્દીન શાહની ફિલ્મ ‘કથા’ 1983 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મુંબઈમાં રહેતા ‘રાજારામ જોશી’ (નસુરુદ્દીન શાહ) ની વાર્તા હતી. જે મુંબઇની એક ચાલમાં રહેતો હતો. ફિલ્મમાં ચાલમાં રહેતા લોકોનું જીવન નજીકથી બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ બાબતે નસીરુદ્દીન શાહ પોતે કહે છે કે તેણે આ આખી ફિલ્મમાં માત્ર 2 સફેદ શર્ટ પહેર્યા છે. કારણ કે તેનાથી લોકોને ખબર નથી પડતી કે તેમની પાસે કેટલા શર્ટ છે.

નસીરુદ્દીન શાહ ધર્મમાં નથી માનતા

નસીરુદ્દીન શાહે શબાના આઝમી સાથેની ફિલ્મ પારમાં પણ સરસ કામ કર્યું છે. નસીરુદ્દીન શાહે પણ આ ફિલ્મમાં ડુક્કરનું ટોળું નદીને પાર કરાવ્યું. જ્યાં મુસ્લિમ ધર્મમાં ડુક્કરને હરામ માનવામાં આવે છે. નસીરુદ્દીન શાહની ફિલ્મ પારો 1984 માં રિલીઝ થઈ હતી. નસીરુદ્દીન શાહ જ નહીં, શબાના આઝમીએ પણ આ ફિલ્મમાં ઉત્તમ કામ કર્યું છે જે પ્રશંસાને પાત્ર છે. આ પાત્ર ભજવીને તેમણે કહ્યું હતું કે કલાકારનો કોઈ ધર્મ નથી હોતો.

નસીરુદ્દીન શાહનો નવો અંદાજ

નસીરુદ્દીન શાહ હજી પણ ફિલ્મોમાં કામ કરે છે. તે સતત કેટલીક નવી અને બાળકોની ટૂંકી ફિલ્મોમાં પણ કામ કરે છે. બાળકોની નવી ફિલ્મોમાં કામ કરતી વખતે કલાકાર ક્યારેય પૈસાની વાત કરતા નથી. એક મીટિંગમાં, ફિલ્મો સાંભળ્યા પછી, તેઓ ફિલ્મ કરવી કે નહીં તે કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે નસીરુદ્દીન શાહ તેમની સાથે મોબાઈલ રાખવાનું પસંદ નથી કરતા. જેના કારણે તે લોકો અથવા નવા ડિરેક્ટર સાથે ફક્ત ઈ-મેઇલ દ્વારા જ વાત કરે છે.

 

આ પણ વાંચો: Raj Kundra Arrested: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ

આ પણ વાંચો: ‘પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર સાથે ફરી જોવા મળશે સોનુ સૂદ, શું સ્ક્રીન પર ચાલશે જાદુ ?