થિયેટર ખુલતાની સાથે જ સેલેબ્સના ચહેરા પર આવ્યું સ્મિત, આમિર ખાને કહ્યું- આની જોઈ રહ્યા હતા આતુરતાથી રાહ

|

Nov 02, 2021 | 11:50 PM

મહારાષ્ટ્રમાં સિનેમા હોલ શરૂ થવાની માહિતી મળ્યા બાદ બોલિવૂડની ઘણી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે. સિનેમા હોલ શરૂ થવાથી સેલેબ્સ ખૂબ જ ખુશ છે.

થિયેટર ખુલતાની સાથે જ સેલેબ્સના ચહેરા પર આવ્યું સ્મિત, આમિર ખાને કહ્યું- આની જોઈ રહ્યા હતા આતુરતાથી રાહ
Aamir Khan

Follow us on

ફિલ્મી ચાહકો  થિયેટરમાં મોટી ફિલ્મોની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહનો અંત આવવાનો છે. મહારાષ્ટ્રમાં જ્યારથી થિયેટર ખુલ્યા છે ત્યારથી સિનેમા પ્રેમીઓના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. થિયેટરો ફરી શરૂ થયાના 24 કલાકની અંદર, સોશિયલ મીડિયા રિલીઝની તારીખોથી છલકાઈ ગયું. ઘણા બોલિવૂડ, ટીવી અને વેબ કલાકારો ફરીથી સિલ્વર સ્ક્રીનના જાદુને બતાવવા અને જોવા માટે સ્ક્રીન પર આવ્યા અને તેમની ઉત્તેજના વ્યક્ત કરી.

આમિર ખાને શેર કર્યું કે આ ખૂબ જ આનંદની વાત છે કે આખરે મહારાષ્ટ્રમાં થિયેટર ખુલ્યા છે. અમે બધા તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની લાઈનમાં છે. સૌને શુભકામનાઓ.

રિત્વિક ધનજાની (Rithvik Dhanjani )એ આનંદ વ્યક્ત કર્યો 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટીવી એક્ટર રિત્વિક ધનજાનીએ કહ્યું કે આ કેટલી  હું સંપૂર્ણપણે અભિભૂત છું. હું હજી પણ વિશ્વાસ નથી કરી શકતો કે આખરે અમારા થિયેટર ખુલ્યા છે. આપણે પાછા સામાન્ય થઈ ગયા છીએ. આપણે થિયેટરોમાં પાછા જઈ શકીએ અને મૂવી જોઈ શકીએ. તે એક જબરદસ્ત લાગણી છે. હું બહુ ખુશ છું.

પોતાના અનુભવ વિશે વાત કરતાં નંદીશ સંધુએ કહ્યું કે થિયેટરોમાં પાછા ફરવું એ એક અદ્ભુત અનુભવ છે. અમે બધા થિયેટરોમાં પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. હું 1.5 વર્ષ પછી પાછો આવ્યો છું. અનુભવ અદ્ભુત રહ્યો છે.

પ્રીતિ જહાંગિયાની (Preeti Jhangiani)એ કહી આ વાત

પ્રીતિએ કહ્યું કે થિયેટરમાં દરેક જગ્યાએ અદ્ભુત સુરક્ષા પગલાં છે. મને ખાતરી છે કે દરેક વ્યક્તિ મૂવી જોવા પાછા આવીને સુરક્ષિત અનુભવશે. તે એક અદ્ભુત અનુભવ છે. ઐશ્વર્યા સખુજાએ કહ્યું કે ફિલ્મોમાં પાછું આવવું એ મિશ્ર લાગણીઓ જેવું છે. મને લાગે છે કે હું ક્યારેય દૂર ન હતી પરંતુ મોટા પડદા પર ફિલ્મો જોવી મને અહેસાસ કરાવે છે કે મને હવે તેની આદત નથી. હું ખૂબ જ ખુશ છું કે થિયેટર ખુલી રહ્યા છે.

સત્યમેવ જયતે-2 ના નિર્દેશક મિલાપ ઝવેરીએ કહ્યું કે ફિલ્મોમાં પાછું આવવું ખૂબ જ સારું છે. તે એકદમ શાનદાર છે. મને પોપકોર્ન અને ઓડી સીટની સુગંધ યાદ આવતી હતી. હું દરેકને વિનંતી કરીશ કે થિયેટરોમાં ફિલ્મો જોવા આવે. તે એકદમ સલામત છે. થિયેટરો તમામ  SOPનું પાલન કરી રહ્યા છે. બધું જ અદ્ભુત છે.

 

આ પણ વાંચો :- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાએ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે કંઈક એવું કર્યું, જાણીને થઈ જશો હેરાન !

આ પણ વાંચો :- Puneeth Rajkumar ની દાન કરાયેલ આંખોથી 4 દર્દીઓને થયો લાભ, અભિનેતાના ઉમદા કામથી ચાહકો થયા ભાવુક

Next Article