Aryan Khan Released: આર્યન ખાન 23 દિવસની જેલ બાદ છૂટ્યો, જુઓ આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યાનો પહેલો વિડીયો

|

Oct 30, 2021 | 1:12 PM

બોમ્બે હાઈકોર્ટે 14 જામીન શરતો સાથે પાંચ પાનાનો જામીનનો આદેશ આપ્યો છે. તેમાં પાસપોર્ટ જમા કરાવવો, સાક્ષીઓને પ્રભાવિત ના કરવા કે સહ-આરોપીનો સંપર્ક કરવા અને દર અઠવાડિયે NCB ઓફિસમાં હાજર થવાની શરતો છે.

Aryan Khan Released: આર્યન ખાન 23 દિવસની જેલ બાદ છૂટ્યો, જુઓ આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યાનો પહેલો વિડીયો
Aryan Khan

Follow us on

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન (Aryan khan) આર્થર રોડ જેલમાંથી જામીન પર બહાર આવ્યો છે. આર્યન ખાનને જેલમાંથી લેવા તેના પિતા એક્ટર શાહરૂખ ખાન (shahrukh khan) આવ્યા હતા. અહીંથી તે સીધો પોતાના ઘરે મન્નત પહોંચ્યો હતો. 23 દિવસ બાદ આર્થર રોડથી નીકળ્યા બાદ સૌની નજર આર્યન ખાનની એક ઝલક મેળવવામાં હતી. જેલમાંથી બહાર આવતા દરેક વ્યક્તિ આર્યનને પોતાના કેમેરામાં કેદ કરવા માંગતો હતો.

આર્યન ખાનની મુક્તિને ધ્યાનમાં રાખીને આર્થર રોડ જેલની બહાર ભારે ભીડ જોવા મળી હતી. આ સાથે જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આર્યનને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આ પછી શુક્રવારે જામીન ઓર્ડર જેલ સુધી પહોંચવામાં વિલંબને કારણે તેને આજે એટલે કે શનિવારે મુક્ત કરવામાં આવ્યો.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

કેસ કોર્ટમાં આર્યન સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન પણ સ્વીકારવામાં આવ્યા હતા. NCB દ્વારા 2 ઓક્ટોબરે ક્રુઝ ડ્રગ્સ પાર્ટી દરમિયાન ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે જામીન માટે એક કે બે જામીન સાથે 1 લાખના બોન્ડ નક્કી કર્યા છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે તેઓ આવતા અઠવાડિયે કારણો સાથે વિગતવાર આદેશ જાહેર કરશે. અભિનેત્રી જુહી ચાવલા એડવોકેટ સતીશ માનશિંદે સાથે સ્પેશિયલ કોર્ટમાં આર્યન માટે બેલિફ તરીકે હાજર થઇ હતી. મર્ચન્ટ અને ધામેચા માટે કોઈ જામીન મળ્યા ના હતા.

મુંબઈ સેશન્સ કોર્ટની બહાર જુહી ચાવલાએ કહ્યું કે હું ખુશ છું કે આ બધું પૂરું થઈ ગયું છે અને આર્યન જલ્દી ઘરે આવશે. પરંતુ આર્યન શુક્રવારે જામીનનો હુકમ જેલમાં પહોંચવામાં મોડો થયો હતો. આર્થર રોડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ નીતિન વ્યાચલે જણાવ્યું કે જેલના નિયમો અનુસાર પ્રક્રિયા એવી છે કે સાંજે 5.30 વાગ્યા સુધીમાં દસ્તાવેજીકરણ પૂર્ણ કરી લેવા જોઈએ. યોગ્ય પ્રક્રિયા બાદ આર્યનને આજે એટલે કે શનિવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Aryan Khan Release: આર્યન ખાન મન્નત પહોંચ્યો, ફેન્સની ભીડ ઉમટી પડી, ફટાકડાની આતશબાજીથી કરવામાં આવ્યું સ્વાગત

આ પણ વાંચો  : Aryan Khan Release: આર્યન ખાન જેલની બહાર આવતા ફેન્સ થયા ખુશખુશાલ, મન્નતની બહાર ચુસ્ત બંદોબસ્ત

Next Article